ભાણવડ એનીમલ ગ્રુપ દ્વારા ઝેરી સાપ વિશે સમજણ અપાઈ

  • July 05, 2023 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ વિસ્તારમાં ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ સર્પ નીકળવા લાગ્યા છે. જૂન મહિનામાં જ ૧૮૧ જેટલાં સર્પોને રેસ્કયુ કરી બરડા ડુંગરના કુદરતી વાતાવરણમાં વચરણ કરતાં મૂકી દેવાયા છે.
​​​​​​​ખાસ કરી આ માટે ભાણવડ એનીમલ લવર્સ ગ્રુપની સેવા પ્રસંશનીય છે. ગ્રુપના અગ્રણી અશોકભાઈ ભટ્ટે જણાવ્યું છે કે, હાલમાં ચોમાસાની ઋતુ હોવાથી સાપના દરોમાં પાણી ભરાઈ જવાથી તે બહાર નીકળે છે અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. આ માટે તેમણે રેસ્કયુઅરનો સંપર્ક કરવાની લોકોને અપીલ કરી છે. વધુમાં અશોકભાઈએ જાહેર જનતાને ઝેરી-બિનઝેરી સાપ વિશે સમજણ આપી છે અને અંતમાં તેમણે સાપ ડંખ મારે તો તાત્કાલિક હૉસ્પિટલમાં જઈ ળસાવરવાર લેવાની ભારપૂર્વક અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application