વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન 14 ઓક્ટોબરે સામસામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત-પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટર અબ્દુલ્લા શફીકે બાબર આઝમની કેપ્ટનશિપ અને ભારત-પાકિસ્તાનની મેચ અને વર્લ્ડ કપમાં પોતાની ટીમની અપેક્ષાઓ પર નિવેદન આપ્યું છે.
અબ્દુલ્લા શફીકે કહ્યું કે અમે વર્લ્ડ કપમાં ભારત સામે રમવા માટે ઉત્સાહિત છીએ. પરંતુ તે અમારા માટે બીજી મેચ જેવું જ હશે. તેણે કહ્યું કે અમારા કેપ્ટન બાબર આઝમ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. ભૂતકાળમાં, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે અબ્દુલ્લા શફીકની મજાક ઉડાવી હતી. હવે અબ્દુલ્લા શફીકે કહ્યું કે જો બાબર આઝમ જેવા ખેલાડી તમારા વખાણ કરે તો તે એક સુખદ અનુભવ છે.
પાકિસ્તાનના ઉભરતા ખેલાડી અબ્દુલ્લા શફીકે કહ્યું કે અમારું ઝડપી બોલિંગ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. આ સિવાય અબ્દુલ્લા શફીકે પાકિસ્તાનની બેટિંગ પર પોતાની વાત કરતા અને ટીમ ઇન્ડિયને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો વિપક્ષી ટીમ 300 રન બનાવી પણ લે છે તો અમે આ લક્ષ્યનો પીછો કરવા સક્ષમ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મહારાજને જગન્નાથજીની થીમ , પુષ્પો અને ગુબારાનો દિવ્ય શણગાર કરાયો
July 06, 2024 03:09 PMરાજકોટ અમદાવાદ હાઇવે પર બ્રેક ફેલ થતાં ટ્રકે મારી પલટી
July 06, 2024 03:07 PMજુઓ પોરબંદરમાં કલેકટરને કયા મુદ્દે અપાયું આવેદન
July 06, 2024 03:05 PMવિસાવદર સતાધાર રોડ પર એસ ટી બસ એ બાઇકને અને રાહદારી ને હડફેટે લેતા એકનું મોત
July 06, 2024 03:03 PMજુઓ પોરબંદરમાં યોગ પ્રેમીઓ ગરબે શા માટે ઘૂમ્યા
July 06, 2024 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech