બેડેશ્ર્વરમાં યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસો

  • April 28, 2023 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતા હિન્દુ વાઘેર યુવાને પોતાની પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં દંગા કવાર્ટર ખાતે રહેતા ડુંગરભા વિશાભા માણેક નામના ૩૪ વર્ષના હિન્દુ વાઘેર યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે.


આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મુરાભા વીસાભા માણેકે પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.




પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકની પત્ની આજથી ત્રણ દિવસ પહેલાં પોતાના માવતરે રીસામણે ચાલી ગઈ હતી, જે વાતનું તેને મનમાં લાગી આવ્યું હતું અને પત્નીના વિયોગમાં આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. 



​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application