ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ફરી એકવાર અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેમની ટીમને સમર્થન આપ્યું છે. બીસીસીઆઈએ અફઘાનિસ્તાન ટીમને ત્રણ મેદાન ફાળવ્યા છે. અફઘાનિસ્તાનની ટીમ આ મેદાનો પર તેના હોમ ગ્રાઉન્ડ તરીકે રમી શકે છે અને તેની આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરી શકે છે. અફઘાનિસ્તાનની ટીમ સપ્ટેમ્બરમાં ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ન્યૂઝીલેન્ડ સામે તેની એક માત્ર ટેસ્ટ મેચ રમે તેવી શક્યતા છે.
અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચ પ્રથમ ટેસ્ટ મેચ હશે, કારણ કે અત્યાર સુધી બંને ટીમો રેડ બોલ ક્રિકેટમાં સામસામે આવી નથી. ન્યૂઝીલેન્ડને ઓક્ટોબરમાં ભારત સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ રીતે કિવી ટીમની તૈયારી પણ કરવામાં આવશે. જો રિપોર્ટનું માનીએ તો, ગ્રેટર નોઈડાના આ સ્ટેડિયમ સિવાય, BCCI એ અફઘાનિસ્તાન ટીમને વધુ બે સ્ટેડિયમ ફાળવ્યા છે, જ્યાં તેઓ તેમની આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ 2021 થી ત્રણ વખત અફઘાનિસ્તાન સામે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય શ્રેણી રમવાનો બહિષ્કાર કર્યો છે, કારણ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે તાલિબાન સરકારે મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, તેમનો પાડોશી દેશ ન્યુઝીલેન્ડ અલગ રીતે વિચારે છે અને આ અંગે અલગ વલણ ધરાવે છે. ચાર વર્ષ બાદ બીસીસીઆઈએ ફરી અફઘાનિસ્તાનને ભારતમાં મેચ યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે.
અફઘાનિસ્તાન જુલાઈમાં ગ્રેટર નોઈડામાં બાંગ્લાદેશ સામે સંપૂર્ણ શ્રેણી રમવાનું હતું, જેમાં કેટલીક સફેદ બોલની મેચો અને બે ટેસ્ટનો સમાવેશ થતો હતો, પરંતુ તે સમયે ઉત્તર ભારતમાં ભારે ગરમીને કારણે તે શ્રેણી મોકૂફ રાખવામાં આવી હતી. આમ, અફઘાનિસ્તાન માર્ચ 2020 પછી પ્રથમ વખત ગ્રેટર નોઈડામાં રમશે. એવું જાણવા મળે છે કે BCCIએ અફઘાનિસ્તાનને ત્રણ 'હોમ' સ્થળ ફાળવ્યા છે, જેમાં ગ્રેટર નોઈડા, કાનપુર અને લખનૌનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech