બાબા બાગેશ્વરનું 'ધ કેરળ સ્ટોરી' પર મંતવ્ય, "આ હિંદુઓની કમનસીબી..."

  • May 21, 2023 06:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના નિવેદનો માટે જાણીતા છે. દેશમાં હિન્દુત્વ પર પણ બાગેશ્વર બાબાના નિવેદનોએ ચર્ચા જગાવી છે. તો વધુ એકવાર બાબાએ ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પોતાના મંતવ્ય આપ્યા છે. 

બગેશ્વર બાબાએ કહ્યું છે કે જે થયું તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મે આપણી બહેનોને જગાડવી જોઈએ.

ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર બાબા બાગેશ્વરે કહ્યું, 'આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. આ દેશની હાલની સ્થિતિ છે અને આપણે બધા હિંદુઓ ઊંઘી રહ્યા છીએ. લોકો સમજી શકતા નથી અને મને કહે છે કે તમે ભડકાઉ નિવેદનો આપો છો. અમારા શબ્દો ઉશ્કેરણીજનક નથી પરંતુ હિન્દુઓને જગાડવાના છે.

બાબા બાગેશ્વરે કહ્યું, 'જે થયું તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ બધા હિંદુઓની કમનસીબી છે કે જ્યાં સુધી ભારતના દરેક મંદિરો હિંદુઓને શીખવશે નહીં કે સનાતન શું છે? હિંદુ શું છે? ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.

જ્ઞાનવીર કોલેજ કમ્પાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં બાબાએ ભક્તોને કહ્યું કે આ ફિલ્મથી સમજવું જોઈએ કે આપણે જાગવાનું છે, ખાસ કરીને આપણી બહેનોએ આ જાણવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application