રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે કમર કસવાની છે. આ માટે ભાજપે મેગા પ્લાન તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા દેશભરમાં 140 થી વધુ જાહેર કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે. એક તરફ કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. ત્યારે ભાજપ 4 થી 11 ફેબ્રુઆરી સુધી ગાંવ ચલો અભિયાન ચલાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના કાર્ય અને કલ્યાણકારી પહેલ વિશે મતદારોને માહિતગાર કરવા માટે ભારતના સાત લાખ ગામડાઓ અને તમામ શહેરી બૂથમાં પાર્ટીનો ઓછામાં ઓછો એક કાર્યકર હાજર રહેશે.
એક અહેવાલ મુજબ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, રામમંદિરના અભિષેક સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી, જાહેર સભા અને રોડ શોનું આયોજન કરશે. આ દરમિયાન પીએમ મોદી 140 થી વધુ સંસદીય મતવિસ્તારોના પ્રભારી તેમજ નિયુક્ત અધિકારીઓ સાથે પાર્ટી દ્વારા ઉભા કરાયેલા ઉમેદવારો સાથે વાતચીત કરશે અને વાસ્તવિક સમય પર મૂલ્યાંકન કરશે.
સૂત્ર દ્રારા મળેલી માહિતી અનાસાર, સાતથી આઠ લોકસભા બેઠકો આવા દરેક ક્લસ્ટરનો ભાગ છે. જેનું નેતૃત્વ ભાજપના સ્થાનિક નેતા કરે છે, જે ચૂંટણી લડતા નથી. વડાપ્રધાન એક કાર્યક્રમ માટે દરેક ક્લસ્ટરમાંથી ઓછામાં ઓછા એક મતવિસ્તારની મુલાકાત લેશે અને એક મોટી રેલી અથવા ઓછામાં ઓછો રોડ શો પણ કરશે. આ સાથે જ ક્લસ્ટર ઇન્ચાર્જ તેમજ બાકીના મતવિસ્તારના સ્થાનિક નેતૃત્વના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે.
ગાંવ ચલો અભિયાન હેઠળ એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે, પાર્ટીને દરેક બૂથ પર લગભગ 51 ટકા વોટ મળવા જોઈએ. જો 2019ની ચૂંટણીમાં આ લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હોય તો આ વખતે વધુ આગળ જવાનું છે. પક્ષના રણનીતિકારો દ્વારા આ અભિયાન માટે ટીમોની રચના કરવાની પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્ય કક્ષાની ટીમો બનાવવામાં આવશે, જેમાં એક કન્વીનર અને ચાર કો-કન્વીનર હશે. જિલ્લા કક્ષાની ટીમોમાં એક કન્વીનર અને બે કો-કન્વીનર હશે. વિભાગીય ટીમોમાં એક સંયોજક અને એક કો-ઓર્ડિનેટર હશે. ગ્રામ્ય અને શહેરી ટીમોના સંયોજક હશે. આ અભિયાન 11મી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભાજપના ગાંવ ચલો અભિયાનની યોજનાને ધ્યાને લેતા એ સ્પષ્ટ થાય છે કે ભાજપ ગામ્ય વિસ્તાર પર પણ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી, તલસ્પર્શી રીતે મૂલ્યાંકન કરી તેની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech