આંખોને સ્વસ્થ રાખવા અને રોશની તેજ કરવા આયુર્વેદ છે બેસ્ટ, અપનાવો આ ઉપાય

  • June 03, 2024 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સતત ટીવી, મોબાઈલ અને કોમ્પ્યુટર જોવાના કારણે લોકોની આંખો બગડી રહી છે. માત્ર દ્રષ્ટિ જ નબળી છે પરંતુ ડ્રાય આઈ સિન્ડ્રોમ અને આંખમાં બળતરા જેવી સમસ્યાઓ નાની ઉંમરમાં જ થવા લાગે છે. જેના માટે આયુર્વેદમાં જણાવેલી આ પદ્ધતિઓ અપનાવીને આંખોને સ્વસ્થ રાખી શકાય છે.

જો તમે તમારી આંખોને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો આયુર્વેદિક ઔષધી ત્રિફળાનો ઉપયોગ કરો. શરીરને સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. વિટામિન A, E, C અને Bની જાળવણી સાથે, આવશ્યક સૂક્ષ્મ પોષકતત્વો આંખોને સ્વસ્થ રાખે છે.

આંખમાં આંજણ લગાવવાથી આંખો સુરક્ષિત રહે છે. આંખોની રોશની સુધારવા માટે, આયુર્વેદ મુજબ દરરોજ પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવાનું પણ સૂચન કરાયું છે. આયુર્વેદમાં, આંખોને તેજ બનાવવા માટે ત્રાટક ક્રિયા સૂચવવામાં આવેલી છે. દરરોજ દસ મિનિટ આ પ્રવૃત્તિ કરવાથી આંખો મજબૂત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application