ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો મોટો ઝટકો, ગીલ, રોહિત શર્મા અને શ્રેયશ ઐયરને બતાવ્યો પેવેલીયનનો રસ્તો  

  • November 19, 2023 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે, પણ ભારતના 3 દમદાર ખેલાડીઓ પેવેલિયન પરત ફરતા ફેન્સમાં નિરાશા વ્યાપી છે.


ટીમ ઇન્ડિયાની પહેલી વિકેટ શુભમન ગીલના રૂપમાં પડી, ગીલ માત્ર 7 રન બનાવી શક્યો છે. શુભમન એડમ ઝમ્પાના બોલનો શિકાર બન્યો અને મિશેલ સ્ટાર્કે તેને કેચ આઉટ કર્યો. જે બાદ તેના સ્થાને બેટિંગ કરવા કિંગ કોહલી મેદાન પર આવ્યો પણ થોડી જ વારમાં બીજી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી.


કેપ્ટન શર્મા 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે 4 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. ગ્લેન મેક્સવેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જે બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંપૂર્ણ મૌન છવાયું હતું. જો કે, તેના સ્થાને રમવા આવેલા શ્રેયસ અય્યરને પણ નિરાશાનો સામનો કરવો પડ્યો. અય્યર પેટ કમિન્સના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. તે 3 બોલમાં 4 રન જ બનાવી શક્યો હતો. ભારતના ત્રણ મોટા બેટ્સમેન 11મી ઓવરમાં 81ના સ્કોર પર જ પેવેલિયન પરત ફર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application