15 એપ્રિલના રોજ રાતે અશરફ અને અતીકne મેડીકલ ચેક અપ માટે લઇ જવામાં આવી રહ્યા હતા એ દરમ્યાન પત્રકારોના વેશમાં 3 હુમલાખોરોએ અશરફ અને અતીકની ગોળી મારી હત્યા કરી હતી.અગાઉ અશરફે પોતાના મોતને લઈને ભવિષ્યવાણી કરી હતી, કહ્યું હતું કે 2 અઠવાડિયા પછી મને કોઈ બહાને બહાર લઇ જવામાં આવશે અને મારી નાખવામાં આવશે.અશરફની ભવિષ્યવાણી 15 અપ્રિલના રોજ સાચી પડી હતી.અશરફે કોઈ સીલબંધ પરબીડિયા અંગે પણ જણાવ્યું હતું.
ગેંગસ્ટરમાંથી માફિયા બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની શનિવારે 15 એપ્રિલના રોજ જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. બંને કોલવિન હોસ્પિટલની બહાર પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પોલીસ કસ્ટડીમાં તેઓને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટનાથી અશરફની તે ભવિષ્યવાણી સાચી પડી જે તેણે તેના મૃત્યુ અંગે બે અઠવાડિયા પહેલા કરી હતી. અશરફે કહ્યું હતું કે તેને બે અઠવાડિયામાં મારી નાખવામાં આવશે. તેણે દાવો કર્યો હતો કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ તેને આ અંગે ધમકી આપી હતી.
28 માર્ચ 2023ની રાત્રે અશરફે કહ્યું હતું કે, મને બે અઠવાડિયા પછી મારી નાખવામાં આવશે. અશરફે એવો પણ દાવો કર્યો હતો કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ તેમને ધમકી આપી છે કે કોઈ બહાને તે તમને બહાર લઈ જશે અને મારી નાખશે. લગભગ બે અઠવાડિયા પછી, 15 એપ્રિલની સાંજે જ્યારે અતીક-અશરફને તબીબી પરીક્ષણો માટે બહાર લાવવામાં આવ્યા ત્યારે પત્રકારોના વેશમાં ત્રણ હુમલાખોરો પોલીસની સુરક્ષામાં પ્રવેશ્યા અને બંનેને ગોળી મારીને હત્યા કરી દીધી.
28 માર્ચે જ્યારે અશરફને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે તેણે એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને મીડિયાને કહ્યું કે બે અઠવાડિયા પછી કોઈ બહાને તમને બહાર લઈ જઈને કાર્યવાહી કરવામાં આવશે. તેણે વધુમાં કહ્યું કે મને ધમકી આપનાર પોલીસ અધિકારીનું નામ હું કહી શકું તેમ નથી. મારા પરિવાર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ઉત્તર પ્રદેશ સરકારને પણ બદનામ કરવાનું ષડયંત્ર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નકલી કેસમાં આરોપી છે તેથી તેઓ મારી પીડા સારી રીતે સમજે છે.
'મારી હત્યા બાદ સીલબંધ પરબિડીયું...'
અશરફે કહ્યું- મારી હત્યા બાદ સીલબંધ પરબિડીયું અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને સીએમ યોગી આદિત્યનાથ સુધી પહોંચશે. તેણે પૂછ્યું હતું- શું હું માફિયા દેખાઉં છું? હું છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં છું. હું એક વખત ધારાસભ્ય રહી ચૂક્યો છું. હું જેલમાંથી કેવી રીતે કાવતરું કરી શકું? હું LIU ની દેખરેખ હેઠળ જેલમાં મળું છું.
શાઇસ્તા પરવીન વિશે શું?
અશરફે તેના ભાઈ અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન વિશે કહ્યું હતું કે તે મેયરની ચૂંટણી લડવાની હતી અને તે પ્રચાર કરી રહી હતી. એટલા માટે તેની સામે આરોપો લગાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, શાઈસ્તા પરવીનને ઉમેશ પાલની હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવી છે. ઉમેશ પાલની હત્યા બાદ શાઇસ્તા ફરાર છે. પોલીસે શાઈસ્તા પર 50,000 રૂપિયાનું ઈનામ રાખ્યું છે. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલનું ગોળી અને બોમ્બ હુમલામાં મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech