કેટલાક બદમાશોએ એઆઈએમઆઈએમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના ઘર પર કાળી શાહી નાખી અને તોડફોડ પણ કરી. ઓવૈસીએ X પર આ માહિતી આપી છે. ઓવૈસીએ કહ્યું કે તેમણે આ અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. હૈદરાબાદના સાંસદે આ કૃત્ય માટે ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પણ સવાલ કર્યા છે.
ટ્વિટર પર ટ્વીટ કરતા ઓવૈસીએ કહ્યું, "આજે મારા ઘરને કેટલાક અજાણ્યા બદમાશો દ્વારા કાળો રંગ લગાવીને તોડફોડ કરવામાં આવી હતી. મારા દિલ્હીના ઘર પર કેટલી વાર હુમલો થયો તેની ગણતરી હવે મને યાદ નથી. જ્યારે મેં દિલ્હી પોલીસના અધિકારીઓને પૂછ્યું કે આ તેમના નાક હેઠળ કેમ થઈ રહ્યું છે તો તેઓ કઈ જવાબ આપી ન શક્યા."
ઓવૈસીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધતા કહ્યું કે, અમિત શાહ જી, આ બધું તમારી દેખરેખમાં થઈ રહ્યું છે. આ સિવાય તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ પૂછ્યું કે, "કૃપા કરીને જણાવો કે શું સાંસદોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે કે નહીં."
અસદુદ્દીન ઓવૈસીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેમને આવા હુમલાઓથી ડરાવી શકાય નહીં. તેમણે આ ઘટનાઓને કાયરતાપૂર્ણ કૃત્યો ગણાવી અને જો તેઓમાં હિંમત હોય તો તેમનો સીધો સામનો કરવા પડકાર ફેંક્યો છે. પોતાના ટ્વીટમાં ઓવૈસીએ તેમના ઘરને નિશાન બનાવનારાઓને કડક ચેતવણી પણ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામકંડોરણામાં વરસાદી માહોલ, બે કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો
June 30, 2024 03:12 PMગોંડલ : નેશનલ હાઇવે પર ખાનગી બસ પલટી મારી જતાં અકસ્માત,, સદનસીબે કોઈ જાનહાનિ નહિ
June 30, 2024 03:11 PMપીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને કર્યો કોલ, એક એકની સિદ્ધિના કર્યા વખાણ
June 30, 2024 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech