દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જો તેમને જેલમાં મોકલવામાં આવે તો પણ દિલ્હી સરકારના ચાલી રહેલા વિકાસ કાર્યો જેમ કે શાળાઓનું નિર્માણ અને લોકોને મફત સારવાર આપવાનું કામ અટકશે નહીં. "મનીષ સિસોદિયાને જેલમાં નાખવામાં આવ્યા હતા. કારણ કે તેમણે શાળાઓ બનાવી હતી," કેજરીવાલે અહીં કિરારીમાં બે શાળાની ઇમારતોનો શિલાન્યાસ કર્યા પછી કહ્યું. સત્યેન્દ્ર જૈનને જેલમાં મોકલવામાં આવ્યા હતા કારણ કે તેમણે મોહલ્લા ક્લિનિક્સ બનાવ્યા હતા.
મને જેલમાં નાંખશો તો પણ કાર્યો થશે- કેજરીવાલ
તેમણે કહ્યું કે ED અને CBI જેવી તમામ કેન્દ્રીય એજન્સીઓ ને આપના નેતાઓ પાછળ મૂકવામાં આવી છે. કેજરીવાલે કહ્યું, “તમે કેજરીવાલને જેલમાં નાખશો તો પણ વિકાસના કાર્યોથી દિલ્હીના લોકો માટે કામ અટકશે નહીં. ભાજપ ઈચ્છે છે કે અમે તેમની પાર્ટીમાં સામેલ થઈએ પરંતુ અમે ભાજપમાં સામેલ નહીં થઈએ.
CBIએ આપના ધારાસભ્યોને નોટિસ આપી
ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના "ખરિદવા" માટેના આરોપો અંગે નોટિસ આપવા માટે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ રવિવારે મંત્રી આતિશીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. AAPના સૂત્રોએ જણાવ્યું કે, મંત્રી આતિશી તેના ઘરે હાજર ન હતા. જો કે, મંત્રીએ તેમના કાર્યાલયના કર્મચારીઓને નોટિસ લેવાનો નિર્દેશ આપ્યો હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “ટીમ આતિશીને નોટિસ આપવા માટે ફરીથી જશે. આજે સવારે તે તેના ઘરે હાજર નહોતી.
ભાજપે આપના ધારાસભ્યોને આપી આટલી મોટી ઓફર- કેજરીવાલ
થોડા દિવસો પહેલા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવીને તેમને ભાજપે AAPના સાત ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ અંગેના તેમના દાવાઓની તપાસ અંગે ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. કેજરીવાલ અને આતિશીએ 27 જાન્યુઆરીએ દાવો કર્યો હતો કે ભાજપ શાસક પક્ષના ધારાસભ્યોને AAP સરકારને તોડી પાડવા માટે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં દરેકને 25 કરોડ રૂપિયા અને ટિકિટની ઓફર કરીને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે આરોપોને "ખોટા" અને "પાયાવિહોણા" તરીકે નકારી કાઢ્યા હતા અને મુખ્યમંત્રીને તેમના દાવાઓને સમર્થન આપવા માટે પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech