જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને જાહેરનામું જાહેર કરવામાં આવ્યું

  • March 06, 2023 11:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જામનગર જિલ્લામાં આગામી 'હુતાસણી' અને 'ધુળેટી' ના તહેવારો નિમિત્તે મોટી સંખ્યામાં નગરજનો ઉજવણીમાં ભાગ લે છે. આ તહેવારોને અનુલક્ષીને સમગ્ર શહેરમાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સમગ્ર જિલ્લામાં આગામી તા. 08/03/2023 સુધી કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સૂત્રો પોકારવા કે બોલવા, પત્રિકા, પ્લે કાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરવી અથવા તેનો ફેલાવો કરવો- આવી તમામ પ્રવૃતિઓ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે.


ઉપરોક્ત જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ- 1951 ની કલમ- 135(1) મુજબ દંડની સજા, ઓછામાં ઓછાં 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application