ઈન્ડિયા એલાયન્સ (I.N.D.I.A.)ની ચોથી બેઠક બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે નીતિશ કુમાર નારાજ છે. એક તરફ જેડીયુના નેતાઓ આ વાતને નકારી રહ્યા છે તો બીજી તરફ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠકમાં મમતા બેનર્જીએ પીએમ પદ માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કરી નીતિશ કુમારને આંચકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ ગુરુવારે સીએમ નીતિશ કુમારને ફોન કર્યો હતો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે થોડી ચર્ચા કરી હતી. જે તેમને મનાવવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે. તો આ તરફ શુક્રવારે તેજસ્વી યાદવ તરત જ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયા એલાયન્સની બેઠક બાદ નીતિશ કુમારને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે લગભગ અડધો કલાક સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. આજે તેજસ્વી અને લાલુ યાદવ દિલ્હીમાં ઈડી સમક્ષ હાજર થવાના હતા, પરંતુ બંને નેતાઓ પટનામાં છે. તેજસ્વી સાથેની મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવવામાં આવી રહી છે.
વાસ્તવમાં ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે લોકસભાની બેઠકો પર ત્રણ સપ્તાહમાં ચર્ચા થવી જોઈએ. તેથી શક્ય છે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે બેઠકો પર થોડી ચર્ચા થઈ હોય. આ સિવાય બિહારમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગેના સમાચાર ઘણા દિવસોથી ચાલી રહ્યા છે. આ અંગે પણ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે વાતચીત હોવાની ચર્ચા છે.
આ તરફ નીતિશ અને રાહુલ ગાંધી વચ્ચે ફોન પર થયેલી વાતચીતને લઈને અટકળો ચાલી રહી છે કે ભારત જોડો યાત્રા અને સીટ શેરિંગ પર ચર્ચા થઈ હતી. સાથે જ બિહારમાં કેબિનેટ વિસ્તરણ પર વાતચીત થઈ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે બિહારમાં લોકસભાની 40 સીટો છે. જો કે હજુ સુધી બેઠકો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. ઈન્ડિયા એલાયન્સની ચાર બેઠકો થઈ છે. બેઠકમાં કન્વીનરના નામ કે પીએમ ઉમેદવારના ચહેરા પર પણ મહોર મારવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech