આઈસીસી બોર્ડ મિશેલ માર્શ સામે લઇ શકે છે કડક પગલા, શરમજનક કૃત્ય પર ફેન્સ રોષે ભરાયા
ક્રિકેટનો મહાકુંભ કહેવાતા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ૯ ટીમોને હરાવીને ટાઈટલ જીત્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ચેમ્પિયનની જેમ રમીને ફાઈનલ મેચમાં યજમાન ભારતને ૬ વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે.
મેચમાં હાર બાદ રોહિત શર્મા અને મોહમ્મદ સિરાજ જેવા ભારતીય ક્રિકેટરો મેદાન પર જ રડવા લાગ્યા જ્યારે વિરાટ કોહલી પણ ખૂબ જ ભાવુક જોવા મળ્યો. વર્લ્ડ કપ ટ્રોફી એ માત્ર ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે ટ્રોફી નથી. વિશ્વભરના મોટાભાગના ક્રિકેટરો આ ટ્રોફી માટે પોતાનું સર્વસ્વ આપે છે. આ પછી પણ તેને વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવાનો લહાવો નથી મળતો. પરંતુ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મિચેલ માર્શે આ ટ્રોફીની કદર કરી નથી. ઓસ્ટ્રેલિયાના શાનદાર વિજય બાદ જોરશોરથી ઉજવણી કરવી સ્વાભાવિક હતું. મેદાનથી લઈને ડ્રેસિંગ રૂમ સુધી તમામ કાંગારૂ ખેલાડીઓએ ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરી પરંતુ મિશેલ માર્શનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સોફા પર બેઠો છે અને આ દરમિયાન તેણે વર્લ્ડ ટ્રોફી પર પોતાના પગ રાખ્યા છે. ક્રિકેટરો વર્લ્ડ કપને તાજ માને છે પરંતુ માર્શે તેના પર પગ મૂક્યો છે જે ખૂબ જ શરમજનક કૃત્ય છે.
માર્શનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ક્રિકેટ ફેન્સ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને ફોટો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું માર્શે કૂલ દેખાવા માટે તેના પર પગ મુક્યા પણ કોઈ ભારતીય ખેલાડીઓને પૂછો કે તેમના માટે આ ટ્રોફીની કિમત કેટલી છે. હાલ સોશિયલ મીડિયા પર લોકો આ કૃત્યને વખોડી રહ્યા છે, પણ આ એટલી ગંભીર બાટા છે કે આઈસીસી બોર્ડ મિશેલ માર્શ સામે કડક પગલા પણ લઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech