#IndianNavy’s Swift Response to the Hijacking Attempt of MV Lila Norfolk in the North Arabian Sea.
— SpokespersonNavy (@indiannavy) January 5, 2024
All 21 crew (incl #15Indians) onboard safely evacuated from the citadel.
Sanitisation by MARCOs has confirmed absence of the hijackers.
The attempt of hijacking by the pirates… https://t.co/OvudB0A8VV pic.twitter.com/616q7avNjg
ભારતીય નૌકાદળના વિશેષ કમાન્ડોએ અરબી સમુદ્રમાં અપહરણ કરાયેલા જહાજમાંથી તમામ 21 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. આ ક્રૂ મેમ્બર્સમાં 15 ભારતીયો પણ સામેલ છે. માલવાહક જહાજ એમવી લીલા નોરફોકના અપહરણના સમાચાર મળતાની સાથે જ યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા જહાજ પર પહોંચી ગયું હતું. જે બાદ નેવીના સ્પેશિયલ કમાન્ડોએ ઓપરેશન શરૂ કર્યું અને તમામ ક્રૂ મેમ્બર્સને બહાર કાઢ્યા.
આ પહેલા ભારતીય નૌકાદળે લૂટારાઓને હાઇજેક કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી. સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર જહાજમાં સવાર ભારતીય ટીમના તમામ સભ્યો સુરક્ષિત છે. તેણે કહ્યું કે જો લૂંટારાઓ સીધી વાત ન માને તો મરીન કમાન્ડો માર્કોસ ઓપરેશન માટે તૈયાર છે. ભારતીય માલવાહક જહાજ 'એમવી લીલા નોરફોક'ને ગુરુવારે સાંજે સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરવામાં આવ્યું હતું. આ જહાજમાં 15 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર સવાર હતા.
નૌકાદળના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં આ દરિયાઈ ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને તમામ ક્રૂ સભ્યોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. તેણે જણાવ્યું કે લાઇબેરિયાનો ધ્વજ લહેરાવતા જહાજનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ જહાજે UKMTO પોર્ટલ પર મેસેજ મોકલ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ પાંચથી છ અજાણ્યા હથિયારધારી લોકો જહાજમાં સવાર છે. કાર્ગો જહાજમાંથી કિડનેપનો મેસેજ મળતા જ ભારતીય નૌકાદળ એક્શનમાં આવી ગયું હતું. નૌકાદળના અધિકારીએ જણાવ્યું કે તે પછી નૌકાદળના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટે જહાજની ઉપરથી ઉડાન ભરી અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરીને ક્રૂ સાથે સંપર્ક સ્થાપિત કર્યો.
આ ઘટનાની જાણ યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી. યુકે મેરીટાઇમ ટ્રેડ એ બ્રિટિશ લશ્કરી સંસ્થા છે. જેનું કામ જળમાર્ગોમાં વિવિધ જહાજોની ગતિવિધિઓ પર નજર રાખવાનું છે. ગયા મહિને જહાજો પર હુમલાની ઘટનાઓ બાદ નેવીએ ઘણા યુદ્ધ જહાજોને દરિયામાં તૈનાત કર્યા છે. આ ઘટનાઓમાં ભારતના દરિયાકાંઠે એક જહાજ પર ડ્રોન હુમલો પણ સામેલ છે. જેના માટે અમેરિકાએ ઈરાન પર આરોપ લગાવ્યો હતો.
ભારતીય માલવાહક જહાજ 'એમવી લીલા નોરફોક' પર એવો હુમલો થયો કે લાલ સમુદ્રમાં અનેક જહાજોના રૂટ બદલી દેવામાં આવ્યા છે. કારણ કે યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો આ દરિયાઈ વિસ્તારમાં સતત ડ્રોન વડે જહાજો પર હુમલો કરી રહ્યા છે. ગાઝામાં પેલેસ્ટિનિયનો પર હુમલાને કારણે આ બળવાખોરો જહાજોને નિશાન બનાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech