મહારાષ્ટ્રમાં અનોખા લગ્ન, સ્મશાનમાં ગુંજ્યા વિવાહના પવિત્ર મંત્ર !

  • July 26, 2023 07:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના લગ્નો જોઈએ છીએ, સામાન્ય રીત રીવાજો થી થતા લગ્ન કે પછી ભવ્ય સમારોહ અને મેડાવડા સાથેના લગ્ન અથવા તો અલગ અલગ ધર્મો અને પરંપરાઓ મુજબ થતા લગ્નો સોશિયલ મીડિયાના માધ્યમથી હવે ફેમસ થાય છે. પણ મહારાષ્ટ્રમાં અનોખા લગ્ન થયા છે, સ્મશાનમાં જ્યાં માત્ર રડવાનો અવાજ સંભળાતો હતો, ત્યાં પવિત્ર મંત્રોચ્ચાર થયા છે. એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જે દરેક માટે ચર્ચાનો વિષય બન્યો છે. 


મહારાષ્ટ્રના અહમદનગરમાં રાહતાના કબ્રસ્તાનમાં આ લગ્ન થયા છે. દંપતીએ કબ્રસ્તાનમાં તેમના લગ્ન જીવનની શરૂઆત કરી હતી જ્યાં લોકો તેમના જીવનનો અંત લાવે છે. છેલ્લા 20 વર્ષથી સ્મશાન ગૃહમાં કામ કરી રહેલા ગંગાધર ગાયકવાડે તેમની પુત્રીના લગ્ન સ્મશાનમાં કરાવ્યા હતા, લોકો સ્મશાનને અશુભ માને છે, પરંતુ લગ્નની તમામ વિધિઓ આ સ્મશાનમાં જ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે એક શિક્ષિત યુવકે જ્ઞાતિના બંધનો તોડીને પછાત સમાજની યુવતી સાથે લગ્ન કરીને સમાજ સમક્ષ એક આદર્શ સ્થાપિત કર્યો છે.

આ સિવાય બીજી એક ખાસ વાત એ છે કે સ્મશાન અશુભ છે એવી અંધશ્રદ્ધા તોડીને યુવતીના પિતાએ પોતાની દીકરીના લગ્ન સ્મશાનમાં કરાવ્યા અને લોકોને સંદેશ આપ્યો કે સ્મશાન અશુભ નથી, અહીં પણ શુભ કાર્ય કરી શકાય છે.

મનોજ જયસ્વાલ અને મયુરી ગાયકવાડના લગ્નમાં શહેરના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા, જેમણે નવવિવાહિત યુગલને તેમના ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. હાલમાં આ અનોખા લગ્ન દરેક માટે ચર્ચાનો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application