બેલા ગામની સીમમાં દુકાનમાંથી નશીલી સિરપનો જથ્થો ઝડપાયા

  • December 08, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી નશીલી આયુર્વેદિક સીરપનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે તપાસ કરતા બોટલ નંગ ૧૭૧૦ કીમત રૂ.૨,૫૫,૧૫૦ નો મુદામાલ કબજે કરી દુકાનદાર કમલભાઈ રજીતભાઈ દેબનાથ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી આઈ કે એ વાળા, પી એસ આઈ વી જી જેઠવા, જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, વનરાજભાઈ ચાવડા, હરેશભાઈ આગલ, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, કુલદીપભાઈ કાનગડ, જયદીપભાઈ પટેલ,પંકજભા ગુઢડા, કેતનભાઈ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દીપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application