રાજકોટમાં પારડી ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, પતિ અને સાસરિયાઓએ હત્યા કરી હોવાનો આક્ષેપ

  • August 28, 2023 10:55 AM 

રાજકોટમાં પારડી ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, પતિ અને સાસરિયાઓએ હત્યા કરી હોવાનો આક્ષેપ


રાજકોટમાં પારડી ગામે પરિણીતાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પ્રભા ચૌહાણ નામની 32 વર્ષીય પરિણીતાની તેના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પરિણીતાના પતિ અને સાસરિયાઓએ હત્યા કરીને પરિણીતાની લાશ પંખે લટકાવી દીધી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સાસરિયાઓએ ઘટનાને આત્મહત્યામાં ખપાવવા પંખે લટકાવી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિણીતાના પરિવારજનોના આક્ષેપને લઈને શાપર પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે. લગ્ન બાદથી સતત મહિલાનો પતિ દારૂ પીને મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. શાપર પોલીસે મહિલાના પતિની અટકાયત કરી હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application