વાંકાનેર નગરપાલિકા દ્વારા જર્જરીત મકાનો-ઈમારતો પર ફેરવાયું બુલડોઝર

  • July 13, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર નગરપાલિકા દ્વારા જર્જરીત મકાનો-ઈમારતોનો સર્વે હાથ ધરાયો હતો. શહેરના છેવાડાના વિશીપરા તથા મીલપ્લોટ વિસ્તારોથી જર્જરીત મકાનો તોડી પાડવાની કાર્યવાહી ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયા દ્વારા હાથ ધરાઈ હતી.
વિશીપરા વિસ્તારમાં જર્જરીત મકાન ઉપરાંત મીલપ્લોટ ચોકમાં વર્ષો જૂનું જકાતનાકુ સહિત ખંઢેર હાલતમાં મોત જજુમતી ઈમારતો તોડવામાં આવી હતી.
​​​​​​​
ચીફ ઓફિસર ગિરીશભાઈએ શહેરભરમાં દરેક વિસ્તારમાં જર્જરીત અને ખંઢેર હાલતમાં ઉભેલા મકાનો, દુકાનો, ઈમારતો તોડી પડાશે ઉપરાંત પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યાનું ધ્યાને પડશે ત્યાં પણ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
ઉપરોકત કામગીરીમાં પોલીસને સાથે રાખી ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, એન્જિનિયર મહેશભાઈ ચૌહાણ, હેડ કલાર્ક હાર્દિકભાઈ સરૈયા, સેનેટરી ઈન્સપેકટર નલિનભાઈ, આદિત્ય રબારી તથા પાલિકા સ્ટાફ જોડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application