યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના છૂટાછેડા, સંબંધોનો અંત, કાનૂની પ્રક્રિયા પૂર્ણ, સોશિયલ મીડિયા પર પોસ્ટ

  • February 20, 2025 09:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંદ્રા ફેમિલી કોર્ટમાં બંનેના છૂટાછેડાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માને આજે બાંદ્રા ફેમિલી કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જ્યાં તેમના છૂટાછેડાની ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી બંનેના રસ્તા હંમેશાં માટે અલગ થઈ ગયા છે.


યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. એબીપી ન્યૂઝે બાંદ્રા કોર્ટના વકીલને ટાંકીને પુષ્ટિ આપી છે કે બંનેને આજે ફોર્માલિટી પૂર્ણ કરવા માટે ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યાં હતાં, જ્યાં બધી કાનૂની ફોર્માલિટી પૂર્ણ થઈ ગઈ છે. જોકે યુઝવેન્દ્ર કે ધનશ્રી બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તે બંને ઘણીવાર તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રહસ્યમય રીતે સ્ટોરી મૂકતાં જોવા મળ્યાં છે.


યુઝવેન્દ્ર ચહલની ઇન્સ્ટામાં સ્ટોરી



ધનશ્રીએ પણ જવાબ આપ્યો



યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચારથી તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતું અને તેમની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હતા.


લગ્નજીવન અને સોશિયલ મીડિયા

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 2020માં ગુરુગ્રામમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. ધનશ્રી વર્મા એક ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેમના લગ્ન બાદ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા અને અવારનવાર એકબીજા સાથેના ફોટા અને વીડિયો શેર કરતા હતા. તેમની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવતી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application