ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંદ્રા ફેમિલી કોર્ટમાં બંનેના છૂટાછેડાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માને આજે બાંદ્રા ફેમિલી કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જ્યાં તેમના છૂટાછેડાની ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી બંનેના રસ્તા હંમેશાં માટે અલગ થઈ ગયા છે.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. એબીપી ન્યૂઝે બાંદ્રા કોર્ટના વકીલને ટાંકીને પુષ્ટિ આપી છે કે બંનેને આજે ફોર્માલિટી પૂર્ણ કરવા માટે ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યાં હતાં, જ્યાં બધી કાનૂની ફોર્માલિટી પૂર્ણ થઈ ગઈ છે. જોકે યુઝવેન્દ્ર કે ધનશ્રી બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તે બંને ઘણીવાર તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રહસ્યમય રીતે સ્ટોરી મૂકતાં જોવા મળ્યાં છે.
યુઝવેન્દ્ર ચહલની ઇન્સ્ટામાં સ્ટોરી
ધનશ્રીએ પણ જવાબ આપ્યો
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચારથી તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતું અને તેમની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હતા.
લગ્નજીવન અને સોશિયલ મીડિયા
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 2020માં ગુરુગ્રામમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. ધનશ્રી વર્મા એક ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેમના લગ્ન બાદ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા અને અવારનવાર એકબીજા સાથેના ફોટા અને વીડિયો શેર કરતા હતા. તેમની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech