થોરાળાના ગોકુલપરામાં યુવાન પર તલવાર વડે જીવલેણ હુમલો

  • March 07, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં પરિણીતા સામે જોવા બાબતે ઠપકો આપતા તે બાબતોનો ખાર રાખી યુવાન પર તલવાર વડે જીવલેણ હત્પમલો કરવામાં આવ્યો હતો. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ મામલે યુવાનની બહેનની ફરિયાદ પરથી પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નવા થોરાળા વિસ્તારમાં ગોકુલપરા શેરી નંબર છ માં રહેતા કિશોર જયંતીભાઈ ખીમસુરીયા(ઉ.વ ૪૦) નામના યુવાનને રાત્રિના નવેક વાગ્યા આસપાસ આરોપી પ્રફુલ રવજીભાઈ ડાંગર,પ્રકાશ ગોવિંદભાઈ ખીમસુરીયા અને યોગેશ ખીમસુરીયા ઘર પાસે આવી અગાઉના ઝઘડાનો ખાર રાખી ઢીકાપાટુનો માર માર્યેા હતો. દરમિયાન આરોપી પ્રકાશ અને યોગેશે યુવાનને પકડી રાખી આરોપી પ્રફુલે તલવાર વડે મારી નાખવાના ઇરાદે કિશોરભાઈને માથાના ભાગે તલવારનો ઘા મારી દીધો હતો દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ શખસો નાસી ગયા હતા. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે યુવાની નાની બહેન જાગૃતિ રવજીભાઈ મુછડીયા (ઉ.વ ૩૪ રહે. આંબેડકર નગર શેરી નંબર ૧૨૧૪ નો ખૂણો, ગોંડલ રોડ) દ્રારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે,તારીખ ૬૩ ના સાંજના સમયે આરોપી પ્રફુલ કિશોરભાઈની કાકી સામે જોતો હોય જેથી કિશોરભાઈએ કહ્યું હતું કે, તું મારા કાકી સામે શું કરવા જોવે છે.દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારબાદ આ બાબતનો ખાર રાખી રાત્રિના કિશોરભાઈ પર આ જીવલેણ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે જાગૃતિબેનની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application