સતાપરમાં માનસિક અસ્થિરતાના કારણે યુવાનનો એસિડ પી લઈ આપઘાત

  • April 01, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા એક યુવાને પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ ઘરમાં પડેલું એસિડ ગટગટાવી જઈ આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતો મનોજ હીરાભાઈ રાઠોડ નામનો ૪૦ વર્ષ નો યુવાન કે જે છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહયો છે, અને તેની દવા પણ ચાલુ છે. જે માનસિક બીમારીથી પોતે કંટાળી ગયો હતો, અને ઘરમાં પડેલું એસિડ પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો, તેથી તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાય તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પત્ની હંસાબેન મનોજભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application