રાજકોટના રામપર બેટીમાં ૧૪ વર્ષની તરૂણીનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • February 10, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ તાલુકાના રામપર બેટી ગામે રહેતા પરિવારની ૧૪ વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી તણીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી. તણીએ કયાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા રામપર બેટી ગામના પાટીયા પાસે ના વિસ્તારમાં રહેતી હિરલબેન કાળુભાઈ તુરીખ (ઉ.વ ૧૪) નામની તણીએ ગઈકાલ સમી સાંજના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન તેની મોટી બહેન કામ પરથી ઘરે આવતા હિરલને બોલાવવા માટે દરવાજો ખખડાવતા હીરલે દરવાજો ખોલ્યો ન હતો જેથી તેની મોટી બહેનને શંકા ગઈ હતી. બાદમાં જોતા હિરલે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડું હતું. ત્યારબાદ પરિવારજનોને જાણ કરી ૧૦૮ ને બોલાવવામાં આવી હતી. ૧૦૮ ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી તણીને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ સાંગાણીએ અહીં પહોંચી જરી કાર્યવાહી કરી તણીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, તણીના માતા–પિતા અને તેના ભાઈ– બહેન સહિતના મજૂરી કામે જતા હોય જેથી તેઓ મજૂરી કામે ગયા હતા. દરમિયાન પાછળથી તણીએ આ પગલું ભરી લીધું હતું. તેણે કયાં કારણોસર ગળાફાંસો ખાઈ લીધો તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે તરૂણીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application