જુના બંદર ખાતે શ્રમિક યુવાનને વીજ શોક લાગતા મોત

  • March 11, 2024 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના જુના બંદર રોડ પર વીજ કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. યુવાન માલગાડીમાં સમાન મુકવા જતા હાઈ વોલ્ટેજ લાઈનને અડી જતા ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.


આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના જુના બંદર ખાતેથી માલગાડીની રેક ભરીને સમાન લઇ જવામાં આવે છે. જે સમાન ભરતા સમયે એક શ્રમિક યુવાનને વીજ કરંટ લાગતા ગંભીર ઇજા પહોંચી હતી. જુના બંદર ખાતે રેલવેની માલગાડીમાં સમાન ભરવાનું કામ કરતા શ્રમિક વિશાલ દેવાભાઈ રાઠોડ (રહે.રૂખડીયા હનુમાન પ્રેસ રોડ,કરચલિયા પરા) કામ કરી રહ્યા હતા. જે દરમિયાન માલગાડીમાં ઉપરની સાઈડ ચડીને સામાનની હેરફેર કરતી વેળાએ ઇલેક્ટ્રિક હેવી હાઈ વોલ્ટેજ પાવરના વાયરને અડી જતા ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો. વીજ કરંટ લાગતા જ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક ૧૦૮ એમ્બયુલેન્સમાં સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application