તાજેતરના સંશોધનમાં સામે આવ્યું છે કે 6-23 મહિનાના બાળકોને યોગ્ય આહાર મળતો નથી, જે ચિંતાનો વિષય છે. ડબલ્યુએચઓ દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર 77 ટકા બાળકો યોગ્ય આહાર લઈ શકતા નથી. આ સમસ્યા ભારતના યુપી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોમાં સૌથી વધુ જોવા મળી છે, જેમાં 80 ટકાથી વધુ બાળકો છે.
સિક્કિમ અને મેઘાલય જેવા રાજ્યોમાં સ્થિતિ એવી છે કે 50 ટકાથી ઓછા બાળકોને યોગ્ય આહાર મળતો નથી. ડબલ્યુએચઓ લઘુત્તમ આહાર સ્કોર જણાવે છે કે બાળકના આહારમાં ઓછામાં ઓછા આ ખોરાકનો સમાવેશ થવો જોઈએ. જેમ કે જો કોઈ સ્ત્રી સ્તનપાન કરાવતી હોય, તેથી તેમણે ઈંડા, કઠોળ, બદામ, ફળો અને શાકભાજી ખાવા જોઈએ.
આ સંશોધનમાં 2019-21 વચ્ચે કરવામાં આવેલા નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વેના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ જર્નલ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, તાજેતરના વર્ષોમાં તેમાં 75 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે જે 2005-06માં 87.4 ટકા હતો. જે ચિંતાનો વિષય છે. એનએફએચએસ-3માં ઇંડાના વપરાશમાં લગભગ 5 ટકાથી એનએફએચએસ -5માં 17 ટકાનો વધારો થયો છે. કઠોળ અને બદામ 14 ટકાથી વધીને 17 ટકા થઈ ગયા છે. વિટામિન એથી ભરપૂર ફળો અને શાકભાજીમાં 7.3 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. માંસના વપરાશમાં 4 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. સ્તનપાનમાં 85 ટકાથી 87 ટકા અને ડેરી ઉત્પાદનોમાં 52 ટકાથી વધીને 54 ટકા થયો છે.
ગામડાંમાં રહેતાં બાળકો કે જેમની પાસે હજી સુધી મીડિયાની પહોંચ નથી તેઓને યોગ્ય આહાર ન મળવાની શક્યતા વધુ છે. બાળકોને આંગણવાડી અથવા સંકલિત બાળ વિકાસ સેવા કેન્દ્રોમાં કાઉન્સેલિંગ અથવા આરોગ્ય તપાસ કરાવવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાળકોનું જન્મ સમયે વજન ઓછું હોય છે. તેમને શરૂઆતથી જ યોગ્ય આહારના અભાવનું જોખમ રહેલું છે. સંશોધને સરકારને આ મુદ્દાઓને ઉકેલવા માટે વ્યાપક અભિગમ અપ્નાવવાની સલાહ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મનીષ ડાંગરિયા સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ પર પોસ્ટ કરતા નોંધાઈ ફરિયાદ
May 09, 2025 05:38 PMજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech