શ્રાવણ મહિનાને ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે. ઘણા લોકો આ મહિનામાં માત્ર સોમવારે જ ઉપવાસ કરે છે, જ્યારે અન્ય લોકો આખો મહિનો ઉપવાસ કરે છે. ઉપવાસ રાખવાથી શરીરને પણ ઘણા ફાયદા થાય છે. જેના કારણે શરીરના દરેક અંગો સાફ થઈ જાય છે.
ઉપવાસને કારણે ચક્કર આવવા અને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. કારણકે આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરતા નથી જે લાંબા સમય સુધી શરીરને એનર્જી આપી શકે.
ઉપવાસ કરવાથી આ ફાયદાઓ થાય છે:
ઉપવાસ ચરબી બર્ન કરવા અને વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ સિવાય હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, હાઈ બીપી જેવા રોગોમાં પણ ઉપવાસ દરમિયાન મર્યાદિત ખોરાક ખાવાથી સુધારી શકાય છે. ઉપવાસ દરમિયાન, શરીર કલાકો સુધી આરામની સ્થિતિમાં હોય છે જે પાચન તંત્રને શરીરમાં ડિટોક્સ પ્રક્રિયા શરૂ કરવા અને આંતરડાને સાફ કરવાનો સંકેત આપે છે.
ખીચડી અથવા રોટલી:
ઉપવાસ દરમિયાન, ચોખા અને ઘઉં જેવા રોજિંદા અનાજનું સેવન કરવામાં આવતું નથી, પરંતુ અન્ય અનાજ જેવા કે રાજગરાનો લોટ, સામાનો લોટ, શીંગોળાનો લોટ ખાવામાં આવે છે. તેમની પુરી, પકોડા, વડા કે હલવો બનાવવાને બદલે ખીચડી કે રોટલી બનાવીને ખાઓ અને તેમાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ લાંબા સમય સુધી ઊર્જા આપશે.
બાફેલા બટેટા:
તળેલા બટેટા ખાવાનો સ્વાદ સારો હોય છે પરંતુ તેમાં ઘણી બધી કેલરી હોય છે જે તેને બિનઆરોગ્યપ્રદ અને નિસ્તેજ બનાવી શકે છે. તેથી બટેટાને તળવાને બદલે તેને બાફીને ખાઈ શકો છો.
ફળ:
પુષ્કળ ફળો ખાઓ કારણ કે તે માત્ર તમને પુષ્કળ વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર આપે છે તેમજ તે દિવસભર ઉર્જાવાન પણ રાખે છે.
કંદમૂળ ખાઓ:
આહારમાં બટેટા, શક્કરીયા, કોળું જેવા કંદમૂળનો સમાવેશ કરવો એ ખૂબ જ સારો વિકલ્પ છે. તેમાં વિટામિન બી, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.
દૂધ અને ડેરી ઉત્પાદનો:
પ્રોટીન અને કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરવા માટે દૂધ અને ડેરી ઉત્પાદનો ખાઈ શકો છો. આ માટે દૂધ અને ડેરી વસ્તુઓ જેવી કે દહીં, છાશ અને ચીઝ અને ઘીનો આહારમાં સમાવેશ કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech