ખાટા-ખાટા તાજગીથી ભરપૂર લીંબુ તેના અનેક ગુણો માટે જાણીતા છે. સ્વાસ્થ્ય માટે તેના ફાયદાઓની લાંબી યાદી છે. શરીરને ડિટોક્સિફાય કરવાથી લઈને ચયાપચયને વેગ આપવા, પ્રતિરક્ષા સુધારવા અને ઘણું બધું. ઉપરાંત, તેની સુગંધ એવી છે કે તે તરત જ મૂડને સુધારે કરે છે. લીંબુના કેટલાક વિચિત્ર ફાયદાઓ છે જેના વિશે ક્યારેય નહી સાંભળ્યું હોય. જેમાં લીંબુના ટુકડા પર થોડું મીઠું છાંટવાનું છે અને તેને પલંગની પાસે રાખવાનું છે. જે સ્વાસ્થ્ય અને મનને સ્વસ્થ રાખવાની એક ખૂબ જ સરળ યુક્તિ છે. જાણો આવું કરવાથી શું ફાયદો થશે.
બંધ નાકની સમસ્યામાં રાહત
સૂતા પહેલા પલંગની બાજુમાં કાપેલા લીંબુને રાખવાથી સારી રીતે શ્વાસ લેવામાં મદદ મળી શકે છે. લીંબુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે બંધ નાક ખોલવામાં અને શ્વાસ સારી રીતે લેવામાં મદદ કરે છે. જે લોકોને અસ્થમા અથવા સાઇનસ જેવી બિમારીઓ છે તેઓએ ખાસ કરીને લીંબુની આ યુક્તિ અજમાવવી જોઈએ કારણ કે તે તેમના ફેફસાના માર્ગો ખોલવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે છાતીની જકડને ઓછી કરવામાં પણ ફાયદાકારક છે.
બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ
ઘણા અભ્યાસોએ પણ પુષ્ટિ કરી છે કે લીંબુ રક્ત પરિભ્રમણને નિયંત્રિત કરવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. સૂતા પહેલા ઓશિકા પાસે લીંબુનો ટુકડો રાખવાથી, આખી રાત લીંબુની તાજગીભરી સુગંધ અનુભવશો, જે રક્ત પરિભ્રમણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો, તો આ ટ્રિક ચોક્કસ અજમાવવી જોઈએ.
તણાવ ઘટાડવામાં અસરકારક
લીંબુની ભીની અને તાજગી આપનારી સુગંધ તણાવ ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. એરોમાથેરાપીમાં લીંબુને 'સ્ટ્રેસ બસ્ટર' કહેવામાં આવે છે. તે આપણા મગજમાં હેપ્પી કેમિકલ 'સેરોટોનિન'ના ઉત્પાદનને વેગ આપે છે, જે મૂડ સ્વિંગ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. તેથી, જો તણાવ વિના શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો આ ટ્રિક અજમાવી શકો છો.
મચ્છરોથી છુટકારો મેળવો
સૂતી વખતે મચ્છરોના અવાજ ખૂબ ઇરીટેટ કરે છે. જો સારી રીતે સૂતા હોવ તો પણ અવાજ અને વારંવાર મચ્છરોના કરડવાથી ઊંઘ બગડે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પલંગ પાસે લીંબુનો ટુકડો અવશ્ય રાખવો જોઈએ. મચ્છરોને લીંબુની ગંધ બિલકુલ પસંદ નથી. જો લીંબુ રાખશો તો તે આસપાસ પણ નહીં ફરકે.
હવાની ગુણવત્તામાં સુધારો લાવ્યા
આજે દરેક લોકો વધતા પ્રદૂષણથી પરેશાન છે અને પોતાના પરિવારના સભ્યોને ઝેરી હવાથી બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. લીંબુની આ સરળ ટ્રીક પણ આમાં મદદ કરી શકે છે. લીંબુના ડિટોક્સિફિકેશન ગુણધર્મોને લીધે હવાની ગુણવત્તા સુધરે છે. લીંબુની તાજી સુગંધ આસપાસની હવાને કુદરતી રીતે શુદ્ધ અને તાજી કરવામાં મદદ કરે છે. તેનાથી ઊંઘ પણ સુધરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech