ઘણા વર્ષો પહેલા પાકિસ્તાનમાં મૃત્યુ પામેલા ભારતીયોના અસ્થિઓ લઈને સનાતન ધર્મનું એક પ્રતિનિધિમંડળ ભારત પહોંચ્યું છે. આ પ્રતિનિધિમંડળ પહેલા અટારી-વાઘા બોર્ડર થઈને દિલ્હી જશે અને પછી હરિદ્વાર જશે. ત્યાં ધાર્મિક વિધિઓ અનુસાર અસ્થીને ગંગામાં વિસર્જન કરવામાં આવશે. ભાગલા પછી આ ત્રીજી વખત છે જ્યારે હિન્દુઓ અને શીખોના અસ્થિ પાકિસ્તાનથી ભારતમાં લાવવામાં આવ્યા છે.
પ્રતિનિધિમંડળ 400 લોકોના અસ્થિ લાવ્યું છે. આમાંથી 350 સનાતન ધર્મના છે અને 50 શીખ પરિવારોના છે. આ અસ્થી 2011 થી પાકિસ્તાનમાં મૃત્યુ પામેલા લોકોની છે. આમાં વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરાચીના શ્રી પંચમુખી હનુમાન મંદિરના મહંત રામનાથ મહારાજ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા મોટાભાગના હિન્દુઓ અને શીખો ઇચ્છે છે કે તેમના મૃત્યુ પછી તેમની રાખ ગંગામાં વિસર્જન કરવામાં આવે. દિલ્હીના નિગમ ઘાટ પર પૂજા કયર્િ પછી, 21 ફેબ્રુઆરીએ હરિદ્વારમાં સતી ઘાટ અને ગંગામાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે.
રામનાથ મહારાજે કહ્યું કે સમયસર વિઝા ન મળવાને કારણે અંતિમ સંસ્કારમાં વિલંબ થયો. અમે અસ્થી વિસર્જન માટે વિઝા નિયમોમાં છૂટછાટ ઇચ્છીએ છીએ. પ્રોટોકોલ ઓફિસર અરુણ મહલના જણાવ્યા અનુસાર, ભારત આવેલા પ્રતિનિધિમંડળમાં સાત લોકોનો સમાવેશ થાય છે. તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં હાજરી આપવા માટે વિઝા લંબાવવાની મંજૂરી માંગી છે. પ્રતિનિધિમંડળ લખનૌ પણ જવા માંગે છે.
પાકિસ્તાનમાં, મૃત્યુ પછી, હિન્દુઓ અને શીખોના અસ્થી વિવિધ મંદિરોમાં રાખવામાં આવે છે. અનેક કળશ એકત્રિત કયર્િ પછી, સનાતન ધર્મના પ્રતિનિધિઓ દ્વારા વિઝા મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. રામનાથ મહારાજ અગાઉ 2016 માં 136 અને 2011 માં 160 લોકોની અસ્થિઓ સાથે ભારત આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech