રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આવેલા સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડતા હૈયાત વોકળાને ડાયવર્ઝન કરી નવું બોકસ કલ્વર્ટ બનાવવાનું કામ સર્વેશ્વર ચોકમાં પૂર્ણતાની નજીક હોય રાજકોટ નાગરિક બેંક પાસે ડો. યાજ્ઞિક રોડ પર કામ શરૂ થશે. જે અન્વયે ડો.યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.૨૦ સુધીના રોડ પર વાહનોની અવર જવર આગામી ચાર માસ સુધી બંધ કરવામાં આવશે. આથી ડો.યાજ્ઞિક રોડ ઉપરથી માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવર-જવર માટે સર્વેશ્વર ચોક ખાતે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પ્રતિબંધ તથા વૈકલ્પિક વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી છે.
દરમિયાન ઉપરોક્ત જાહેરનામાંનો અમલ ક્યારથી થશે ? અને યાજ્ઞિક રોડ ક્યારથી બંધ થશે ? તે મામલે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના સિટી એન્જીનિયરનો અતુલ રાવલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા તા.૪ એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે અને મહાપાલિકા કચેરીને ગઇકાલે તા.૮ એપ્રિલના મળ્યું છે, આથી હવે અમલ કરવા તૈયારી શરૂ કરાઇ છે અને કોન્ટ્રાક્ટર એજન્સીને બેરીકેડિંગ કરવા સુચના આપી છે, આમ છતાં આજુબાજુના કોમ્પ્લેક્સ અને ત્યાંના વેપારીઓ તેમજ ગ્રાહકોની પાર્કિંગ સુવિધા જળવાય રહે તેવી વ્યવસ્થા નિર્માણ કરતા હજુ બે દિવસ જેવો સમય લાગશે આથી આગામી તા.૧૨ને શનિવારથી ઉપરોક્ત રસ્તો બંધ કરવાનું આયોજન છે.
યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા તમામ પ્રકારના વાહનો ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક-મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક-જિલ્લા પંચાયત ચોક પર તથા રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસ થી ડાબી તરફ શ્રી સ્વામી વિવેકાનંદ માર્ગ પર રામકૃષ્ણનગર શેરી નં.૧૦ પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી- ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોન ચોક-મહિલા કોલેજ-કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઇ શકાશે.
રેસકોર્સથી માલવીયા ચોક તરફ જવા બહુમાળીથી કસ્તુરબા માર્ગ ચાલવાનું
રેસકોર્ષથી માલવિયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોકથી જ્યુબેલી ગાર્ડન ચોક- જવાહર રોડ ઉપરથી ત્રિકોણ બાગ સર્કલથી માલવીયા ચોક તથા રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક- મોટી ટાંકી ચોક- લીમડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ પરથી પસાર થઇને માલવીયા ચોક તરફ જઈ શકશે.
દુકાનો-ઓફિસો-ગ્રાહકોના વાહનોના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા રહેશે
ડો.યાજ્ઞિક રોડ પરથી માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવર-જવર માટે સર્વેશ્વર ચોક ખાતે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા ૫૦-૫૦ મીટર બંધ કરવામાં આવશે. સર્વેશ્વર ચોકની આસપાસની દુકાન-ઓફિસની પાર્કીંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે અને વ્યાપારી-ગ્રાહકોની અવર-જવર માટે રસ્તો ચાલુ રહેશે જયાં ગાડીઓનું પાર્કીંગ કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech