મકાનમાં કડિયાકામ કરતી વેળાએ વીજ કરટં લગાતા દાઝેલા શ્રમિકનું મોત

  • January 31, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મવડી ચોકડી પાસે નિર્માણાધીન મકાનમાં શનિવારના કડિયા કામ કરી રહેલા બે શ્રમિકને વીજ શોક લાગતા એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું યારે અન્યને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.રૈયા ગામમાં રેહતા આ શ્રમિક યુવાને સારવાર દરમિયાન હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મવડી ચોકડી પાસે આર.કે.બિલ્ડિંગની પાછળ દેવશીભાઇ અઘેરના મકાનનું કામ ચાલતું હોય દરમિયાન શનિવારે અહીં કડિયા કામ કરનાર બે શ્રમિકો અકસ્માતે વીજ વાયરને અડી જતા બંનેને જોરદાર વીજ કરટં લાગ્યો હતો જેમાં એક શ્રમિક અહીં જ ઢળી પડો હતો. યારે અન્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અહીં મકાનમાં કડિયા કામ કરી રહેલા ગુંદાસરા ગામના વતની મુકેશભાઈ લાખાભાઈ પરમાર (ઉ.વ ૪૯) નું આ ઘટનામાં જોરદાર વિજ કરટં લાગવાથી મોત થયું હતું યારે રાજકોટના રૈયા ગામમાં રહેતા મહેશ મનુભાઈ નીનામા (ઉ.વ ૩૦) ને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.દરમિયાન ગઇકાલે સાંજના સારવાર દરમિયાન મહેશનું પણ હોસ્પિટલ બીછાને મોત થયું હતું.જે અંગેની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતા માલવીયાનગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application