માધાપર ચોકડી પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતી મીનલબેન (ઉ.વ.૩૩)એ પતિ મહેશ મગનભાઈ મેર વિરૂધ્ધ મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૦૨૨માં જૂનાગઢના યુવક સાથે લગ્ન થયા બાદ ત્રણેક મહિના પછી છૂટાછેડા લઈ લીધા હતા. ૨૦૧૮માં લો કોલેજમાં અભ્યાસ દરમિયાન આરોપી સાથે પરિચય થતાં ૨૦૨૩માં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પતિએ ત્રાસ આપવાનું શરૂ કરતાં ૨૦૨૩માં છૂટાછેડા લીધા હતા.
ત્યાર પછી પતિએ માફી માંગી લેતાં અને હવે હેરાન નહીં કરે તેવી ખાત્રી આપતાં ૨૦૨૪માં ફરીથી કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન પતિ અવાર-નવાર કોઈ મહિલા સાથે વાતચીત કરતો હોવાની શંકા જતાં પૂછતાં ઝઘડો કરી મારકૂટ કરતો હતો. તેની સાથે કામ કરતાં પિયુષભાઈ અને અન્યોએ પણ પતિને સમજાવ્યા હતા.
દરમિયાન ગઈ તા.૧૫ના રોજ પતિને અન્ય મહિલા સાથે વાત નહીં કરવા સમજાવતાં છરી લઈ કહ્યું કે તું મને ગમતી નથી, તને જાનથી મારી નાખીશ. બાદમાં તેને માર માર્યો હતો. જેથી પરિણીતાએ સિવીલમાં સારવાર લીધી હતી. બાદમાં પતિ વિરૂધ્ધ અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે.ફ જે અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech