રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલ ઝનાના હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન દીકરીને જન્મ આપ્યા બાદ માતાનું મોત નિપજતા પરિવારે ઉહાપો મચાવી તબીબી બેદરકારીના આક્ષેપ સાથે ન્યાયની માગણી કરી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, પ્રસુતિનો દુ:ખાવો થવા છતાં ડોકટર કે નર્સ ધ્યાન આપતા નહતા. જો કે તબીબે મોતનું કારણ જાણવા માટે પીએમ માટેનું કહ્યું હતું છતાં પરિવાર પીએમ કરવા માટે સહમત ન થતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
પ્રા વિગત મુજબ શહેરના તોપખાના નજીક રહેતા વનીતાબેન જીેશભાઈ ઘાવરી (ઉ.વ.૨૫)નામના સગર્ભાને ગુવારના રોજ પ્રસુતિનો દુ:ખાવો થતા ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા યાં તેની જરી સારવાર અને નિદાન કરવામાં આવ્યા બાદ આજે સવારે આઠેક વાગ્યાના અરસામાં નોર્મલ ડિલિવરી દરમિયાન બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં અચાનક તબિયત લથડતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જણાવતા મૃતકના બહેન સહિતના પરિવારજનોએ ઉહાપો મચાવ્યો હતો અને તબીબી બેદરકારીનો આક્ષેપ સાથે કહ્યું હતું કે, ગઈકાલનો દુ:ખાવો થતો હોવાથી અમે નર્સને કહ્યું હતું પરંતુ તે ધ્યાન આપતા નહતા અને સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા. વારંવાર કેહવું છતાં નસગ સ્ટાફ એવું કહેતો હતો કે, તમેં એકજ દર્દી નથી અમારે બીજા પણ દર્દી છે. અમે સિઝેરિયન કરવાનું કહ્યું હતું તો એ પણ કયુ નહતું. પરિવારે અલ્પાબેન, ભાનુબેન અને વંદનાબેન એમ ત્રણ નસગ સ્ટાફના નામ પણ આપ્યા છે. પરિવારે બીજા કોઈ સાથે આવું ન બને માટે ન્યાયની માંગણી કરી હતી. બનાવના પગલે સિકયોરિટી દોડી ગઈ હતી અને પરિવારને મોબાઈલમાં ઉતારેલો વિડીયો ડીલીટ કરવાનું કહી ધમકાવવામાં આવતા હતા. આક્ષેપોના પગલે એ.ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટ મોટમ કરાવવાનું કહ્યું હતું પરંતુ પરિવારે ના કહી હતી.
મૃતકના પતિ સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે અને મહિલાની પ્રથમ ડિલિવરી જ હતી. દીકરીના જન્મ બાદ માતાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech