છત્તીસગઢના બેમેતરામાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પીક અપ વાન ઉભેલા બંધ ટ્રક સાથે ધડાકાભેર અથ્દાયી પડી હતી જેમાં ત્રણ બાળક સહિત આઠ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 26થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને રાયપુરની એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને બેમેતરા અને સિમગાના સીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.
પીકઅપમાં સવાર તમામ લોકો પારિવારિક કાર્યક્રમ માટે ગામ તિરૈયા ગયા હતા અને ત્યાંથી તેમના ગામ પર્થરા પરત ફરી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કલેક્ટર અને એસપીની સાથે એસડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી.મળતી માહિતી મુજબ તમામ લોકો તિરૈયા ગામથી સમધિન ભેટ કાર્યક્રમ માટે ગયા હતા અને કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કઠિયા ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાળકો સહિત 8 લોકોના મોતના સમાચાર છે. પીકઅપ વાનમાં એક જ પરિવારના 40 થી 50 જેટલા લોકો બેઠા હતા. તમામ લોકો પથરા ગામના રહેવાસી છે અને સાહુ સમુદાયના છે. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય દીપેશ સાહુ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં તેમણે ડોક્ટરોને ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની સારી સારવાર માટે સૂચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech