રાજકોટમાં હસનવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ થાનગઢમાં પિતાના ઘરે એસિડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની સરકાર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત થયું હતું. પરિણીતા થાનગઢમાં પિતાની ખબર પુછવા ગઇ હતી.ત્યારે કપડા ધોવા બાબતે પતિ સાથે સામાન્ય ઝઘડો થતા આ બાબતે લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.બનાવને લઇ પરિવારમાં શોક છવાય ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુબજ, રાજકોટમાં ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલા હસનવાડીમાં રહેતી પાયલબેન વિશાલભાઈ દલવાણી (ઉ.વ 25) નામની પરિણીતા થાનગઢમાં માવતરના ઘરે હતી ત્યારે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારાવર બાદ મોત થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુબજ, પાયલને સંતાનમાં એક પુત્ર છે.પરિણીતા થાનગઢ રહેતા પિતાના પથરીના ઓપરેશન બાદ પતિ સાથે ખબર અંતર પૂછવા ગઈ હતી જ્યાં કપડા ધોવા જેવી બાબતે તેને પતિ સાથે બોલાચાલી થતા આ બાબતે લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech