નારિયેળ દિવસ દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.પ્રથમ વખત 2009માં વર્લ્ડ કોકોનટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ એશિયન અને પેસિફિક નારિયેળ સમુદાય દ્વારા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. નારિયેળ દિવસની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં નારિયેળની ખેતી વિશે લોકોને જાગૃત કરવાનો છે. નારિયેળ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે.
ઉનાળા દરમિયાન, ઘણા લોકો શરીરને હાઇડ્રેટ રાખવા માટે નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે. નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે અને ઘણી બીમારીઓથી બચાવવામાં પણ મદદરૂપ થાય છે. નારિયેળ પાણી ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે અનેક પ્રકારની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.
થાક દૂર કરે છે
નારિયેળ પાણી થાકને દૂર કરવા માટે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. નારિયેળ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટો હોય છે અને તે ઓછી કેલરીવાળું પીણું છે. દરરોજ સવારે નારિયેળ પાણી પીવાથી થાક અને નબળાઈમાં રાહત મળે છે.
તણાવ દૂર કરે છે
આજના વ્યસ્ત જીવનમાં તણાવની સમસ્યા સામાન્ય છે. પરંતુ જો તણાવને દૂર કરવો હોય તો રોજ નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. આ તણાવને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારિયેળ પાણી પણ અસરકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના વિટામીન, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
વજન ઘટાડવામાં અસરકારક
નારિયેળ પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. રોજ નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર થાય છે અને પેટ પણ ભરેલું રહે છે.તમારું વજન ઓછું થવા લાગે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસથી પીડિત લોકો માટે પણ નારિયેળ પાણી પીવું ફાયદાકારક સાબિત થાય છે. ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસની સમસ્યા થાય છે અને નારિયેળ પાણી ઇન્સ્યુલિન વધારવામાં મદદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech