થોડા સમય પહેલા જ સહજીવન યાત્રા શરુ કરનારા સોનાક્ષી અને ઝહીર ઈકબાલએ દિલ ખોલીને એકબીજાની ગમતી બાબતો શેર કરી હતી.
સોનાક્ષી સિન્હાએ 7 વર્ષના સંબંધ બાદ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. સોનાક્ષી સિન્હાએ લગ્નના 3 મહિના પછી તેના પતિની પોલ ખોલતા તેના સારા અને ખરાબ ગુણો વિશે જણાવ્યું. એક ઈવેન્ટમાં આ કપલે પોતાના સંબંધો અને જીવન વિશે ખુલીને વાત કરી.
સોનાક્ષી સિન્હા હાલમાં ‘ઇન્ટર-રિલીજન’ લગ્ન કરવા બદલ ટ્રોલ થઈ હતી, જ્યારે ઝહીર ઈકબાલ પર ‘લવ જેહાદ’નો આરોપ લાગ્યો હતો. પરંતુ, બંને આ બધી બાબતોની પરવા કર્યા વિના કાયમ માટે એકમેકના બની ગયા છે. દરમિયાન જ્યારે સોનાક્ષી સિન્હાએ લગ્નના 3 મહિના પછી એક ઇવેન્ટમાં હાજરી આપી, ત્યારે તેણે પતિ ઝહીર ઇકબાલ સાથેના તેના સંબંધો અને તેની સારી અને ખરાબ આદતો વિશે ખુલીને વાત કરી.
જ્યારે સોનાક્ષી અને ઝહીરને એકબીજાની એક સારી અને એક ખરાબ આદત વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઝહીરે સોનાક્ષીના વખાણ કર્યા અને કહ્યું કે, તે તેની પત્નીની બે આદતો વિશે વાત કરશે, જે તેને પસંદ છે.
ઝહીર ઈકબાલે કહ્યું, ‘તેનામાં ઘણી ઓછી વસ્તુઓ છે જે મને નાપસંદ હોય. જો હું તેની કોઈ આદતથી પરેશાન છું તો તે તેનો સ્વાર્થ છે. તેને જજ કરવાને બદલે કે તેના પર ગુસ્સે થવાને બદલે, હું સમજવા માંગુ છું કે તે શા માટે તેના અહંકારને આટલું મહત્વ આપે છે?’
ઝહીરના વખાણથી ખુશ સોનાક્ષીએ તેને ખુલીને વ્યક્ત કરવા કહ્યું. ઝહીરે ફરી કહ્યું કે સોનાક્ષી ખૂબ સમયની પાબંદ છે. એક્ટરે કહ્યું કે સમયનું પાલન કરવું મહત્વપૂર્ણ છે, પરંતુ કેટલીકવાર મોડું ચાલે છે. જોકે, સોનાક્ષી વિશે ઝહીરને સૌથી વધુ ગમે છે તે તેની નમ્રતા અને સાદગી છે.
સોનાક્ષીને ઝહીર ઈકબાલનો દયાળુ અને આદરપૂર્ણ સ્વભાવ અન્ય લોકો સાથે ખૂબ જ ખાસ લાગે છે. તેણે કહ્યું, ‘તે ખૂબ જ ઉદાર વ્યક્તિ છે. તે ફક્ત તેની સાથે જ નહીં, પરંતુ તેની આસપાસના દરેકને દયા અને આદર સાથે વર્તે છે. આ કોઈપણ વ્યક્તિના સૌથી સારા ગુણો છે.’
સોનાક્ષીએ મજાકમાં ઝહીરની એક ખરાબ આદત વિશે પણ કહ્યું, જેના કારણે તે ક્યારેક થોડી પરેશાન થઈ ગઈ. તેણે કહ્યું, ‘તે ખૂબ અવાજ કરે છે. તેઓ સતત સીટી વગાડશે અથવા અમુક સમયે શોરબકોર કરવા લાગે છે.
સોનાક્ષીએ કહ્યું કે, એક એવો પણ સમય આવે છે કે, તે શાંતિ માટે તરસી જાય છે. તેણે કહ્યું કે, ‘ક્યારેક જ્યારે તમે તમારા પોતાના પર હોવ ત્યારે અચાનક બૂમબરાડા સાંભળવા મળી જશે.’ આના પર ઝહીરે કહ્યું કે, ‘પરંતુ તે ખૂબ જ નમ્રતાથી વર્તે છે અને કહે છે, ‘પ્લીઝ ઘર છોડીને ક્યાંક ચાલ્યા જાઓ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech