ન્યાયાધીશો પણ ભૂલ કરી શકે છે સ્વીકારવામાં સંકોચ કેમ?: સુપ્રીમ

  • September 25, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ન્યાયાધીશો પણ ભૂલ કરી શકે છે. આ સ્વીકારવામાં શા માટે કોઈ સંકોચ હોવો જોઈએ? જો કોઈ ભૂલ થઈ હોય, તો કેસ બધં હોય ત્યારે પણ અદાલતોએ તેને સુધારવો જોઈએ. આ ટિપ્પણી ખુદ સુપ્રીમ કોર્ટે કરી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના એક નિર્ણયની ભૂલો પણ સુધારી છે. ખંડપીઠે સંશોધિત આદેશ જારી કર્યેા હતો.
સુપ્રીમ કોર્ટે સ્વીકાયુ કે ન્યાયાધીશો પણ ભૂલ કરી શકે છે. સર્વેાચ્ચ અદાલતે કહ્યું છે કે અદાલતોએ તેમના આદેશોમાં ભૂલો સ્વીકારવામાં અને કેસ બધં થયા પછી પણ તેને સુધારવામાં સંકોચ ન કરવો જોઈએ. આ મામલો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને તેના અધિકારીઓને વચગાળાનું રક્ષણ આપતા સુપ્રીમ કોર્ટના એક વર્ષ જૂના આદેશથી સંબંધિત છે. આ આદેશમાં સુપ્રીમ કોર્ટે તેમની સામે લોન રિકવરી અને મની લોન્ડરિંગના કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે સ્વીકાયુ છે કે તેના આદેશમાં કેટલીક ભૂલો હતી.
સુપ્રીમ કોર્ટે સ્વીકાયુ કે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ની કાર્યવાહીને રોકવાનો આદેશ તેને સુનાવણીની તક આપ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો. ઇડીએ આદેશમાં સુધારો કરવાની માંગ કરી હતી. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ સંજય કુમાર દ્રારા આપવામાં આવેલા નિર્ણયમાં વધુ એક ખામી હતી. એક તરફ પક્ષકારોને હાઈકોર્ટમાં જઈને તેમની ફરિયાદો ઉઠાવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ બીજી તરફ વચગાળાનું રક્ષણ આપવામાં આવ્યું હતું જે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે.
સામાન્ય રીતે, યાં સુધી પક્ષકારો હાઇકોર્ટનો સંપર્ક ન કરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનું રક્ષણ ચાલુ રહે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ વચગાળાના રક્ષણ અંગે નિર્ણય લેવાનું કામ હાઇકોર્ટ પર છોડી દે છે.
જસ્ટિસ સંજય કુમાર અને અરવિંદ કુમારની બેન્ચે બંને ભૂલોને સ્વીકારી અને આદેશમાં ફેરફાર કર્યેા. બેન્ચે કહ્યું કે યાં સુધી પક્ષકારો હાઈકોર્ટનો સંપર્ક ન કરે ત્યાં સુધી વસૂલાતની કાર્યવાહીમાં વચગાળાનું રક્ષણ ચાલુ રહેશે. આ પછી વચગાળાના આદેશ પર નિર્ણય લેવાનું કામ હાઈકોર્ટનું રહેશે.
બેન્ચે જણાવ્યું હતું કે, પ્રથમ ત્રણ એફઆઈઆરના સંદર્ભમાં રિટ પિટિશનમાં આ કોર્ટ દ્રારા આપવામાં આવેલી કાર્યવાહી પર સ્ટે, હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવનારી રિટ પિટિશનના નિકાલ સુધી ચાલુ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. યારે કોઈ પક્ષકારને તેના ઉપાય માટે હાઈકોર્ટમાં રિમાન્ડ આપવામાં આવે છે, ત્યારે સામાન્ય કેસમાં, આવી કોર્ટ સમક્ષ પડકારવામાં આવતી કાર્યવાહીના સંદર્ભમાં ઉપરોકત કોર્ટને નિર્દેશો સાથે બંધન કરવું યોગ્ય રહેશે નહીં. સામાન્ય રીતે, આ કોર્ટ તમામ મુદ્દાઓને પક્ષકારો માટે હાઈકોર્ટ સમક્ષ ઉઠાવવા માટે ખુલ્લા મુકશે. ખંડપીઠે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અંતિમ ઉપાયની અદાલત છે, તેથી તે તેના આદેશોમાં કોઈપણ ભૂલ સ્વીકારવામાં શરમાશે નહીં. જો ઓર્ડરમાં કોઈ ભૂલ જણાય તો અમે તેને સુધારવા માટે તૈયાર છીએ. ઇડીની અરજી સ્વીકારીને, બેન્ચે ગયા વર્ષે ૪ જુલાઈએ આપેલા તેના આદેશનો તે ભાગ પાછો ખેંચી લીધો જેમાં મની લોન્ડરિંગ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વીકે જૈન વિદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને બેન્ચે કહ્યું, અમારી કાનૂની વ્યવસ્થા ન્યાયાધીશો દ્રારા ભૂલની શકયતાને સ્વીકારે છે. જો કે આ અવલોકન જિલ્લા ન્યાયતંત્રના ન્યાયાધીશોના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું, તે ન્યાયિક પદાનુક્રમના ઉચ્ચ પદ પર બેઠેલા લોકોને સમાન રીતે લાગુ પડશે. રેકોર્ડ કોર્ટ તરીકે, બંધારણીય અદાલતો તેમના ન્યાયિક આદેશોમાં રહેલી ભૂલોને ઓળખે અને તેને સુધારે તે જરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application