PM Modi Hug Diplomacy: પીએમ મોદીએ પુતિનને કેમ ગળે લગાવ્યા? સવાલ પર જયશંકરનો સીધો જવાબ

  • August 23, 2024 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PM નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિનને ગળે લગાવ્યા હતા. હવે આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, જેના પર તેમણે કહ્યું કે લોકોને ગળે લગાડવું એ આપણી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે લોકો અહીં મળે છે, ત્યારે તેઓ એકબીજાને ગળે લગાવે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એક દિવસની મુલાકાતે યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા હતા. ત્યારે કિવ પહોંચતા રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ પહેલા હાથ મિલાવ્યા અને પછી એકબીજાને ગળે લગાવ્યા હતા.


યુદ્ધ સમસ્યાનો ઉકેલ નથી: પીએમ મોદી

પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે યુદ્ધ કોઈ સમસ્યાનું સમાધાન કરી શકતું નથી. શાંતિ પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેનને સાથે મળીને સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ.


યુક્રેન પ્રવાસ દરમિયાન PM મોદી અને પુતિનની કેમ થઈ રહી છે ચર્ચા?

જાણવા મળે છે કે યુક્રેન જવાના થોડા સમય પહેલા પીએમ મોદી રશિયા પણ ગયા હતા. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પીએમ મોદીની એક તસવીર ખૂબ ચર્ચામાં રહી હતી, જેનો રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ વિરોધ કર્યો હતો. હવે વિદેશ મંત્રી એસ જયશંકરને રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીને ગળે લગાવવાની તસવીર પર સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો તેમણે જવાબ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application