દેશના અનેક રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. કર્ણાટકે આ બીમારીને મહામારી જાહેર કરી હતી. દેશની રાજધાની દિલ્હીમાં પણ ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 400 થી વધુ કેસ નોંધાયા છે અને બે દર્દીઓના મોત પણ થયા છે. ડેન્ગ્યુના કેસ દર વર્ષે જોવા મળે છે. આ વખતે ચોમાસું લંબાવાને કારણે રોગચાળાનું જોખમ પણ વધારે છે. ગત વર્ષે પણ ડેન્ગ્યુના વધુ કેસો અને મૃત્યુ થયા હતા, પરંતુ તેમ છતાં આ રોગ પર કાબૂ મેળવી શકાયો નથી. જ્યારે દર વર્ષે ડેન્ગ્યુના કેસો સામે આવે છે અને લોકોને તે અંગે મોટા પાયા પર જાગૃત કરવામાં આવે છે, તો પછી ડેન્ગ્યુ પર નિયંત્રણ કેમ નથી આવતું? આ એક મોટો પ્રશ્ન છે.
નિષ્ણાંત ડૉકટર જણાવે છે કે, વરસાદની સિઝન પછી ડેન્ગ્યુના કેસ ઝડપથી વધે છે. તેનું કારણ એ છે કે ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી જમા થાય છે. આ જામેલા પાણીમાં જ ડેન્ગ્યુના મચ્છરો પેદા થાય છે. દર વર્ષે વરસાદ પડે છે અને પાણી ભરાય છે. પરંતુ પાણીના નિકાલ માટે યોગ્ય નિરાકરણ ન હોવાના કારણે પાણી ભરાયેલા પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે અને આ મચ્છર ડેન્ગ્યુનું કારણ બને છે.
ડેન્ગ્યુથી બચવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય રીતે તૈયાર કરવું. શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સારી ગટર વ્યવસ્થા જાળવવી જોઈએ. જેથી પાણીનો સંગ્રહ ન થાય અને ડેન્ગ્યુથી બચી શકાય.
પાણીના નિકાલ માટે કોઈ નક્કર ઉકેલ ન હોવાને કારણે દર વર્ષે ડેન્ગ્યુના કેસ આવે છે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં મહિનાઓ સુધી પાણી ભરાયેલું રહે છે. જો પાણીનો સંગ્રહ બંધ થાય તો ડેન્ગ્યુને સરળતાથી કાબૂમાં લઈ શકાય છે.
જાગૃતિ વધારવાની છે જરૂર
ડેન્ગ્યુ વિશે લોકો ચોક્કસપણે જાગૃત છે, પરંતુ તેમ છતાં કેટલાક કિસ્સામાં બેદરકારી જોવા મળે છે. જ્યારે સર્વે કરવામાં આવે છે ત્યારે ઘણા ઘરોમાં ડેન્ગ્યુના કેસ જોવા મળે છે. લોકો ડેન્ગ્યુ વિશે સચેત રહે અને ઘરની અંદર કે આસપાસ પાણી જમા ન થવા દે તે જરૂરી છે. કારણ કે ડેન્ગ્યુના મચ્છરો બહુ ઓછા પાણીમાં પણ ઉત્પત્તિ પામે છે. તેથી, કુલર, વાસણો અથવા પ્લાસ્ટિકની બોટલોમાં પણ પાણી એકઠું ન થવા દેવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMપાકિસ્તાનના ભારત પર સતત હુમલાના પ્રયાસો: પોખરણથી પઠાણકોટ સુધી ડ્રોન હુમલા નિષ્ફળ
May 09, 2025 10:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech