કેરળની રહેવાસી નર્સ નિમિષા પ્રિયાને મોતની સજા સંભળાવવામાં આવી છે. આની વચ્ચે બ્લડ મની શબ્દની પણ ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું એ છે કે, શું બ્લડ મની થકી નિમિષાનો જીવ બચાવી શકાશે. જણાવાનું કે નિમિષા પર હત્યાનો આરોપ છે.
કેરળની રહેવાસી નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મોતની સજા સંભળાવવામાં આવી છે. આ બાબતે યમનની સુપ્રીમ કોર્ટમાં નિમિષાએ અરજી દાખલ કરી જેને યમનની સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી છે. નિમિષા પર એક યમનની નાગરિકની હત્યાનો આરોપ છે. કેન્દ્ર સરકાર દ્વારા જણાવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટથી અરજી રદ થયા બાદ યમનના રાષ્ટ્રપતિને આના પર નિર્ણય લેવાનો છે.
આવામાં પોતાની દીકરીના બચાવ માટે નિમિષાની મા દ્વારા દિલ્હી-હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી છે. આ વાતો કાર્યવાહી દરમિયાન સામે આવી છે. સાથે જ નિમિષાની માએ પોતાની યમન યાત્રાને લઈને અનુમતિ પણ માગી છે. જેથી તે બ્લડ મની મારફત પીડિત પરિવારને ભરપાઈ કરી શકે અને પોતાની દીકરીનો જીવ પણ બચાવી શકે.
કોણ છે નિમિષા પ્રિયા?
કેરળની રહેવાસી નિમિષા નર્સ છે જેને યમનમાં પોતાનું ક્લિનિક ખોલ્યું હતું. જાણકારી મુજબ, તેની દોસ્તી યમનના એક શખસ સાથે થઈ જેનું નામ હતું આબ્દો મહદી. મહદીએ તેને ક્લિનિક ખોલવાની મદદ માટેનું વચન આપ્યું હતું. એ દાવો કરવામાં આવે છે કે, મહદીએ એ વચન ના નિભાવ્યું, છતાં નિમિષાએ યમનમાં પોતાનું ક્લિનિક ખોલ્યું. જાણકારી મુજબ, તે પછી મહદી નિમિષાને હેરાન કરવા લાગ્યો અને તેને પોતાની બીજી પત્ની કહેવા લાગ્યો. તે વારંવાર નિમિષા પાસેથી પૈસા માંગતો.
આ વાતને લઈને નિમિષાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેને લઈને થોડા દિવસો માટે મહદીને જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારપછી જ્યારે મહદી જેલમાંથી પાછો આવ્યો તો એને નિમિષાનો પાસપોર્ટ પોતાના કબ્જામાં કરી લીધો.
શું છે સંપૂર્ણ ઘટના?
જાણકારી મુજબ, પાસપોર્ટ મહદી પાસેથી પાછો મેળવવા માટે નિમિષાએ તેને બેહોશીનું ઈન્જેકશન આપ્યું. પણ બેહોશીના ઇન્જેક્શનનો ડોઝ ઓવર ડોઝમાં બદલી ગયો અને મહદીનું મૃત્યુ નીપજ્યું. તેના પછી નિમિષાએ પોતાની કલીગ હનાન સાથે મળીને મહદીના શરીરના ટુકડા કરી નાખ્યા અને તેના શરીરને પાણીના ટેન્કમાં ફેંકી દીધા. જણાવાનું કે હનાન યમની નાગરિક છે. આ બાબત પર નિમિષાને વર્ષ ૨૦૧૮માં ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્યારે હનાનને આજીવન કેદ થઇ હતી. નિમિષાને એક ૮ વર્ષનો પુત્ર પણ છે. નિમિષા વર્ષ ૨૦૧૮થી જ યમનની સેનામાં કામ કરી રહી છે.
ગુરુવારે કેન્દ્ર સરકારના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું કે, હાલમાં જાહેર કરેલા નોટીફીકેશન મુજબ ભારતીયોની યમન યાત્રા પર લાગેલ પ્રતિબંધ પર પણ છૂટ મળી શકે છે. પણ તેના માટે ખાસ બાબત અને સમયની પણ પાબંધી હોવી જોઈએ. આ પહેલા પણ નિમિષાની માતા દ્વારા કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, તેમની દીકરીને બચાવવા માટેનો એક ઉપાય છે કે, મૃતકના પરિવાર સાથે વાતચીત કરવી જોઈએ. તેના માટે તેઓએ યમન જવું પડશે. પણ ભારતીયોની યમન યાત્રા પર પ્રતિબંધ હોવાના કારણે તે એવું કરી શકતા નથી.
શું છે બ્લડ મની?
અરબ દેશ સહિત યમનમાં એક વ્યવસ્થા વર્ષોથી ચાલી આવે છે જેને બ્લડ મની કહે છે. ખરેખર આ શબ્દનો અર્થ એ પૈસાથી છે જે મૃતકના પરિવારને આપવામાં આવે છે, જેથી ગુનેગારનો જીવ બચાવી શકાય છે. એક રીતે આ એ રકમ છે જે મૃતકના પરિવારને નુકશાનીના ભરપાયીરૂપે આપવામાં આવે છે. આ મુજબ મૃતકનો પરિવાર ઈચ્છે તો હત્યારાઓ સાથે સમજુતી કરી થોડા પૈસા લઈને તેમને માફી આપી શકે છે. એવી પણ ખબર મળી છે કે, મહદીના પરિવારના લોકોએ નીમીષાના પરિવાર પાસેથી બ્લડ મની રૂપે 5 કરોડ યમનની રીયાલની માંગ કરી છે. ભારતીય મુદ્રા મુજબ આ કિંમત ૧.૫૨ કરોડ રૂપિયા થાય છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech