ભારતીય ભોજનમાં પરાઠાનું ખાસ સ્થાન છે. મોટાભાગના ભારતીય ઘરોમાં સવારની શરૂઆત ગરમા ગરમ પરાઠાથી થાય છે. પછી ભલે તે બટાકાના પરાઠા હોય, મૂળાના પરાઠા હોય કે પછી તવા પર બનાવેલા સાદા પરાઠા હોય. જ્યારે તેમાં માખણ ઉમેરવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ વધે છે પરંતુ જ્યારે માખણની વાત આવે છે ત્યારે ઘણીવાર પ્રશ્ન થાય છે કે કયું વધુ ફાયદાકારક છે - સફેદ માખણ (હાથથી બનાવેલ દેશી માખણ) કે પીળું માખણ (બજારમાં ઉપલબ્ધ પ્રોસેસ્ડ માખણ)?
કેટલાક લોકો સફેદ માખણને વધુ આરોગ્યપ્રદ માને છે, જ્યારે કેટલાકને પીળા માખણનો સ્વાદ ગમે છે. આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે બે માખણ વચ્ચે શું તફાવત છે, કયું માખણ સ્વાસ્થ્ય માટે સારું છે અને કયું પરાઠા સાથે ખાવા માટે પસંદ કરવું જોઈએ.
સફેદ માખણ અને પીળા માખણ વચ્ચે શું તફાવત છે?
1. બનાવવાની રીત - સફેદ માખણ પરંપરાગત રીતે ઘરે મલાઈ અથવા છાશને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેને દેશી માખણ પણ કહેવામાં આવે છે. જ્યારે, પીળું માખણ ક્રીમમાંથી બનાવવામાં આવે છે અને પ્રોસેસ દરમિયાન, તેમાં કેટલાક ઉમેરણો અને મીઠું ઉમેરવામાં આવે છે, જે તેનો સ્વાદ અને રંગ બદલી નાખે છે.
2. સ્વાદ અને બનાવટ - સફેદ માખણ ખૂબ જ હળવું અને ક્રીમી બનાવટ ધરાવે છે. જ્યારે બજારમાં મળતું પીળું માખણ વધુ સ્મૂધ અને ખારું હોય છે. ઉપરાંત, તેનો રંગ પણ બદલાય છે.
૩. ન્યુટ્રીશનલ વેલ્યુ - સફેદ માખણમાં નેચરલ ફેટ, વિટામિન A, D, E અને K હોય છે અને તે સરળતાથી પચી જાય છે. તે જ સમયે, પીળા માખણમાં પણ પોષક તત્વો ભરપૂર હોય છે પરંતુ તેમાં વધુ મીઠું અને પ્રિઝર્વેટિવ્સ હોય શકે છે, જે તેને લાંબા સમય સુધી તાજું રાખે છે.
સફેદ માખણના ફાયદા
તે પાચન માટે સારું છે અને સરળતાથી પચી જાય છે. જે પેટની સમસ્યાઓથી બચવામાં પણ મદદ કરે છે. તે કુદરતી અને ઓર્ગેનિક છે કારણ કે તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ કે રસાયણો નથી. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે. ઉપરાંત, સફેદ માખણમાં સ્વસ્થ ફેટી એસિડ હોય છે, જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આયુર્વેદ પણ સફેદ માખણને સ્વસ્થ આહારનો એક ભાગ માને છે.
પીળા માખણના ફાયદા
તેમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે જે આંખો અને ત્વચા માટે સારું છે. એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. ભોજનનો સ્વાદ વધારે છે. તેથી, જ્યારે પણ તેને પરાઠા પર લગાવવામાં આવે છે, ત્યારે તે એક અલગ જ સ્વાદ આપે છે. લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.
પરાઠા સાથે કયું માખણ ખાવું વધુ સારું?
જો હેલ્ધી અને નેચરલ વિકલ્પ જોતો હોય તો સફેદ માખણ વધુ સારું છે કારણ કે તે કોઈપણ ભેળસેળ વિના તૈયાર કરવામાં આવે છે અને શરીર માટે વધુ ફાયદાકારક છે. ત્યારે જો ખારું અને વધુ સ્વાદવાળું માખણ ગમે છે, તો પીળું માખણ પરાઠાનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ બનાવી શકે છે. જો મેટાબોલીઝમ નબળું છે અને પાચન સંબંધિત સમસ્યાઓ છે તો સફેદ માખણ ખાવું વધુ સારું રહેશે. કારણ કે તે હલકું અને સરળતાથી સુપાચ્ય છે. તે જ સમયે જો તાત્કાલિક ઉર્જાની જરૂર હોય તો પીળું માખણ પણ એક સારો વિકલ્પ હોય શકે છે પરંતુ તેને વધુ માત્રામાં ખાવું યોગ્ય રહેશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્રના ચાર શહેરોમાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્રનો યુનિવર્સિટીએ કર્યો પ્રારંભ
March 20, 2025 09:46 AMસુરતથી ફેન્ટાનાઇલ ડ્રગ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: વિદેશની કંપનીઓ સાથે કનેક્શન
March 20, 2025 09:46 AMગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech