આજકાલ ખાવા-પીવાની આદતો અને જીવનશૈલીને કારણે, લોકો વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એ પછી મોટાપાના કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ વધારો થાય છે. વજન ઘટાડવા માટે, લોકો જીમમાં જાય છે અને સાથે સાથે ડાયટિંગનું પણ પાલન કરે છે છતાં ઘણી વખત લોકોને ઇચ્છિત પરિણામ મળતું નથી.
ત્યારે ડાયેટિશિયન કહેતા હોય છે કે વજન ઘટાડવા દરમિયાન ઘણીવાર લોકો ફળ પસંદ કરતી વખતે પણ ભૂલો કરે છે. ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ કેટલાક ફળો એવા છે જેમાં કુદરતી ખાંડ અને કેલરી વધુ માત્રામાં હોય છે. જે વજન વધારવામાં મદદરૂપ થઈ શકે છે અને વજન ઘટાડવામાં અવરોધરૂપ બની શકે છે. ત્યારે જાણી લો કે નિષ્ણાતો કયા ફળો ખાવાની મનાઈ કરે છે.
કેળા
કેળા એક એનર્જી પૂરું પડતું ફળ છે પરંતુ તેમાં કેલરી ખૂબ વધારે હોય છે. જો તમે કેલરી ઘટાડવું હોય એ રીતનું ડાયટિંગ કરતા હોય તો તેનો વપરાશ મર્યાદિત હોવો જોઈએ. કેળા ખાવાને બદલે તમારે સફરજન, નારંગી અને પપૈયા ખાવા જોઈએ.
કેરી
કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઉનાળામાં લોકો મોટાભાગે કેરીનું સેવન કરતા હોય છે પરંતુ કેરીમાં કુદરતી ખાંડ વધુ હોય છે. એક મધ્યમ કદની કેરી લગભગ ૧૫૦ કેલરી પૂરી પાડી શકે છે. આવી સ્થિતિમાં, કેરી ઓછી માત્રામાં ખાવી જોઈએ.
દ્રાક્ષ
દ્રાક્ષ દેખાવમાં નાની હોય છે પણ તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. ૧૦૦ ગ્રામ દ્રાક્ષમાં આશરે ૭૦ કેલરી હોય છે. જો વજન ઘટાડવા ઇચ્છતા હોય તો દ્રાક્ષ ઓછી માત્રામાં ખાવી જોઈએ. તેના બદલે નાસપતી ખાઓ.
ચેરી
ચેરીમાં પણ ખાંડનું પ્રમાણ વધુ હોય છે. જો વજન ઘટાડવું હોય તો આ બિલકુલ ન ખાઓ. જો તે વધુ પડતું ખાવામાં આવે તો તે વજન ઘટાડવા પર અસર કરી શકે છે. તેના બદલે સ્ટ્રોબેરી અથવા બ્લુબેરી જેવા ફળો વધુ ફાયદાકારક હોય શકે છે.
ખજૂર
ખજૂરની ગણતરી ડ્રાયફ્રુટમાં થાય છે. તેમાં ખાંડ અને કેલરી બંને ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તેનું વધુ પડતું સેવન કરો છો તો તેનાથી વજન વધી શકે છે. વજન ઘટાડવાના ડાયટમાં તેને ન ખાવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમનઃમહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત
March 01, 2025 08:16 PMવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જામનગરના સર્કિટ હાઉસમાં આજે રાત્રી રોકાણ
March 01, 2025 08:07 PMવજન ઘટાડતી વખતે કયા ફળો ન ખાવા જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો
March 01, 2025 05:00 PM'તમે સૂટ કેમ નથી પહેરતા?' પત્રકારે ઝેલેન્સકીને કપડાં અંગે સવાલ કરતા મળ્યો આ જવાબ
March 01, 2025 04:35 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું
March 01, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech