રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ટર્મિનલ બિલ્ડીંગની કામગીરી હવે અંતિમ ચરણમાં હોવાનું ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું તો બીજી તરફ તાજેતરમાં ડી જી સી એ ની ટીમે એરપોર્ટની ચાલતી કામગીરી નું નિરીક્ષણ કયુ હતું જેમાં એવો રિપોર્ટ આપ્યો છે કે ૨૦૨૫ પહેલા એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર નહીં થાય. હીરાસર એરપોર્ટને લઈને અલગ અલગ રિપોર્ટના કારણે અવઢવ વધી છે.
ગયા વર્ષે જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હિરાસર એરપોર્ટ ખુલ્લું મુકાયા બાદ ૧૦ સપ્ટેમ્બર થી ડોમેસ્ટિક લાઈટ શ કરી દેવામાં આવી હતી અને તે સમયે એવી જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૨૩ ના અતં સુધીમાં ઇન્ટરનેશનલ લાઇટ શ કરી દેવામાં આવશેપરંતુ મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ નું કામ ચાલતું હોવાથી આ બિલ્ડીંગ ફેબ્રુઆરી એ માર્ચ મહિના સુધીમાં બનીને તૈયાર થઈ જશે. આ કામગીરી માટે ઓથોરિટી દ્રારા કોન્ટ્રાકટરને પણ ડેડ લાઈન આપવામાં આવી હતી. જેમાં આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ના અતં સુધીમાં મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ અને બાકીની કામગીરી પૂર્ણ કરી દેવા માટે તાકીદ કરવામાં આવી હતી.ઓથોરિટીના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, હવે કામ ૨૦% જેટલું જ બાકી છે અને માર્ચ મહિના સુધીમાં ટર્મિનલ બિલ્ડીંગ પૂર્ણ રીતે તૈયાર થઈ જશે.જયારે તાજેતરમાં ડી જી સી એ ના ઉચ્ચ અધિકારીઓ સંતોષ ડેવિડ અને સમય મીનાએ એરપોર્ટ પર ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી અને આ ઇન્સ્પેકશન દરમિયાન તેમણે ૨૦૨૫માં ટર્મિનલ અને બાકીનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થશે તેઓ અભિપ્રાય આપ્યો હતો.
એટીસી–ટેકનિકલ બિલ્ડિંગ તૈયાર, મુખ્ય બિલ્ડિંગનું કામ ૨૪ કલાક ચાલુ
બિલ્ડિંગ સાથે સાથે ટર્મિનલ ની અંદરની કામગીરી પણ ચાલી રહી છે.જેમાં ચાર પેસેન્જર બોડિગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને ૮ ચેક–ઇન કાઉન્ટર્સ (ભવિષ્યમાં બીજા ૧૨ ચેક–ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે) નો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અધતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સ હશે. એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત ૫૨૪ એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેકસી અને બસ પાકિગની સુવિધાઓ બનાવવામાં આવી છે.હાલમાં એરો બ્રિજનું કામ પણ પૂં થવાની તૈયારીમાં છે.ટર્મિનલને ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ઊર્જા–કાર્યક્ષમ હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (એચવીએસી) સિસ્ટમ્સ, એલઇડી લાઇટિંગ, ઓટોમેટેડ લાઇટિંગ કંટ્રોલ સિસ્ટમ્સ, ડબલ ઇન્સ્યુલેટેડ ફિંગ અને ઊર્જા–કાર્યક્ષમ ઇલેકિટ્રકલ સાધનો છે. એરપોર્ટની અન્ય ટકાઉ સુવિધાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ, બાંધકામ માટે ઈકો–ફ્રેન્ડલી બિલ્ડિંગ મટિરિયલનો ઉપયોગ અને ઊર્જા–કાર્યક્ષમ ચિલરનો સમાવેશ થશે. ઊર્જા બચાવવા માટે બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે.ટર્મિનલમાં અવાજનું સ્તર ઘટાડવા માટે કાર્પેટ અને ડ્રેપ્સ જેવી ધ્વનિ–શોષી લેતી સામગ્રી પણ હશે.
ફેસ ૩માં ટર્મિનલ બિલ્ડિંગ મોટું થાય તેવી ધારણા
૨૩ હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં પેસેન્જર ટર્મિનલ તૈયાર થઈ રહ્યું છે. પીક અવર્સમાં દર કલાકે ૧૨૮૦ મુસાફરોનું સંચાલન કરી શકશે. હાલમાં ફેસ ૧માં કામગીરી ચાલી છે, ફેસ ૨ અથવા ૩માં બિલ્ડીંગને મોટું કરાશે એવી ધારણા છે.અગાઉના આયોજન અંતર્ગત નવા બિલ્ડિંગમાં વિસ્તૃતિકરણ કરવા માટે આગળ અને પાછળ બંને સાઈડ જગ્યા રાખવામાં આવી છે જેથી કરીને ટર્મિનલ બિલ્ડીંગને મોટું બનાવી શકાય.
એરક્રાટ માટેના પાકિગ માર્ચના અતં સુધીમાં તૈયાર થઈ જશે
૫૦,૮૦૦ ચોરસ મીટરમાં એપ્રન બેય્ઝ બનાવવામાં આવ્યો છે.એરક્રાટ માટેના પાકિગ માર્ચ ૨૦૨૪ દરમિયાન તૈયાર થઈ જશે અને ત્યારબાદ ઓથોરિટી ને હેન્ડ ઓવર કરવામાં આવશે. જેથી હાલમાં એરક્રાટ ના પાકિગ માટેની શોર્ટજ ઊભી થઈ છે તે દૂર કરી શકાશે અને નવી ફલાઇટ શ થશે,સમર શેડુલ માં નવા એરપોર્ટ પરથી ૧૪ જેટલી લાઈટની ઉડાન શ થાય તેવી સંભાવના છે. નવા બનાવવા માં આવેલા ચાર પાકિગમાં ૩૨૧ વિમાનની અવરજવર શકય બનશે, હાલમાં ૩૨૦ ટાઈપમાં વિમાન આવે છે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી 'સી'–ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, અને ભવિષ્યમાં 'ઇ'–ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્ર્રના લોકો એરબસ એ–૩૮૦, બોઈંગ ૭૪૭ અને બોઈંગ ૭૭૭ જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMજામનગર નજીક રમકડાના ડ્રોને પોલીસને ધંધે લગાડી
May 10, 2025 01:01 PMખંભાળીયા નગરપાલીકાના પુર્વ પ્રમુખના યુવાન પુત્રનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાત
May 10, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech