અગ્નિકાંડના મૃતકોના મરણ સર્ટી.માટે શું રજૂ કરવાનું ?

  • May 30, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં બાળકો સહિત ૩૦ વ્યકિતના કણ મોત નિપયા છે અને મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ થતા ડીએનએ ટેસ્ટના આધારે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. મરણ જનારનું મરણ નોંધણી પ્રમાણપત્ર રાજકોટથી મેળવી શકાશે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના જન્મ–મરણ નોંધણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયત અરજી ફોર્મમાં અરજી સાથે મૃતકનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને પોલીસ રિપોર્ટ રજૂ કર્યેથી નિયમ અનુસાર મરણ નોંધ કરી અપાશે, તદઉપરાંત જો અરજદાર મૃત્યુના એક મહિના પછી અરજી કરે તો સોગંદનામું રજૂ કરવાનું રહેશે. મરણ જનારમાં રાજકોટ ઉપરાંત બહારગામના રહીશો પણ હોય તમામને આ બાબત ધ્યાને લેવા અનુરોધ કરાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application