આપણી રોજબરોજની કેટલીક કુટેવ આપણા સ્વાસ્થ્યને લગતી બાબતોમાં અસર કરતી હોય છે. ઘણીવાર આ બાબતોને કારણે સૌંદર્યમાં પણ તેની ઝલક જોવા મળે છે. જેમકે તીખાં-તળેલા ખોરાક કે વધુ પડતા ફાસ્ટફૂડ ખાવાને કારણે પીમ્પ્લ્સ થવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. ત્યારે આજકાલની સ્ટ્રેસફૂલ લાઈફને કારણે વ્યક્તિના ચહેરા પરની ચમક ગાયબ થતી જાય છે. આ ચમક પાછી મેળવવા કે સુંદરતામાં વધારો કરવા લોકો નવી નવી તરકીબો પણ અજમાવતા હોય છે. જેનાથી ફેસ પરનો ગ્લો પાછો મેળવી શકાય. ત્યારે ફેશિયલ જેવી ટ્રીટમેન્ટ પણ લોકો કરાવતા હોય છે. જેમાં જુદા-જુદા પ્રકારના ફેશિયલથી ચમક પછી મેળવી શકો છો. એમાંથી એક છે આઈસ ફેશિયલ.
આઈસ ફેશિયલ એ એક સ્કિન કેર ટ્રીટમેન્ટ છે જેમાં ત્વચાને તાજગી આપવા માટે બરફના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આઈસ ફેશિયલની મદદથી ત્વચાના છિદ્રોમાં છુપાયેલી ગંદકી અને સીબમને સાફ કરવું સરળ છે. મોટાભાગના લોકો ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે આ થેરાપી કરે છે. જાણો તેના ક્યા ક્યા ફાયદા છે.
સ્કિનમાં સોજો કે બળતરા ઘટાડે છે
આઈસ ફેશિયલ દરમિયાન, બરફ ત્વચાને ઠંડક આપે છે, જેનાથી સોજો અને બળતરા ઓછી થાય છે. ખીલની સમસ્યા હોય એ લોકો માટે આ ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે. બરફ સોજો ઘટાડે છે જેથી ખીલની સમસ્યા થતી નથી.
ત્વચાને ચમકદાર બનાવે છે
આઈસ ફેશિયલ ત્વચામાં રક્ત પ્રવાહ સુધારે છે. જ્યારે રક્ત પરિભ્રમણ વધે છે, ત્યારે ત્વચા દ્વારા ઓક્સિજન અને પોષક તત્વો યોગ્ય રીતે શોષી શકાય છે. આનાથી ત્વચાને કુદરતી ચમક મળે છે. આ ત્વચાને તાજગી આપે છે.
છિદ્રો(પોર્સ) સાફ કરવા
આઈસ ફેશિયલથી ત્વચાના છિદ્રો સંકોચાઈ જાય છે અને ત્વચામાંથી ગંદકી બહાર નીકળી જાય છે. તે ચહેરાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને ત્વચા માટે ફાયદાકારક છે.
એન્ટી એજિંગ અસર
આઈસ ફેશિયલમાં, બરફની ઠંડી અસર ત્વચાને કડક બનાવે છે, જેનાથી ત્વચા પર કરચલીઓ ઓછી થાય છે. તે એક કુદરતી એન્ટી એજિંગ એજન્ટ છે જે ત્વચાના અકાળ વૃદ્ધત્વને અટકાવે છે.
ત્વચાનો થાક દૂર કરે છે
જો લાંબા સમય સુધી તણાવમાં છો અથવા લાંબા સમય સુધી કામ કરી રહ્યા છો, તો આઈસ ફેશિયલ ચહેરાના થાકને ઘટાડી શકે છે. આનાથી ત્વચા હળવી અને આરામદાયક લાગે છે.
આઈસ ફેશિયલ કેવી રીતે કરવું?
આઈસ ફેશિયલ કરવા માટે બરફના ટુકડા અને સુતરાઉ કાપડની જરૂર પડશે. સૌ પ્રથમ, ચહેરો સારી રીતે સાફ કરો અને પછી બરફને સુતરાઉ કાપડમાં લપેટીને ત્વચા પર હળવા હાથે લગાવો. ધ્યાનમાં રાખો કે બરફ સીધો ત્વચા પર ન લગાવો. આ 5-10 મિનિટ સુધી કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech