જાણો એવું તો શું થયું કે યુવકને કે તેણે સુહાગરાત પહેલાં જ કરી આત્મહત્યા

  • February 02, 2023 12:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, અહીંના કર્મા બાલાપુર ગામમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી, તે પણ લગ્ન પછી તરત જ. કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં નવી વહુનો પ્રવેશ થયો હતો. કન્યાને આવકારવા માટે મહિલાઓ શુભ ગીતો ગાતી હતી. ત્યારે જ સમાચાર મળ્યા કે વરરાજાએ રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તે પણ એ જ રૂમમાં જ્યાં કન્યા તેના પતિ સાથે આવનારા દિવસો પસાર કરવા જઈ રહી હતી.

મળતી માહિતી મુજબ, 20 વર્ષીય નાગેશ ઘરની પાસે કરિયાણાની દુકાન ચલાવતો હતો. સોમવારે નાગેશના લગ્ન ઘુરપુરની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ કન્યા તેના વર સાથે તેના સાસરે પહોંચી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. કન્યાને આવકારવા માટે મહિલાઓ શુભ ગીતો ગાતી હતી. ત્યારે ઘરમાં કોઈએ જોયું કે વર નરેશે તેના રૂમમાં આત્મહત્યા કરી લીધી છે.
​​​​​​​

આ જોઈને વ્યક્તિના હોશ ઉડી ગયા. તેના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ વરરાજાને લટકતો જોયો કે તરત જ હોબાળો મચી ગયો. પરિવારજનોને લાગ્યું કે નરેશ જીવતો હશે, તેથી તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

બીજી તરફ વરરાજાના મોતના સમાચાર સાંભળતા જ દુલ્હન પણ બેભાન થઈ ગઈ હતી. એક જ ક્ષણમાં પરિવારની તમામ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં છે કે એવું તો શું થયું કે લગ્ન પછી તરત જ વરરાજાએ ફાંસી લગાવી લીધી. આ સમાચારને પગલે ગામમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. સંબંધીઓએ પોલીસને જાણ કર્યા વિના લાશનો અગ્નિસંસ્કાર કરાવ્યો હતો. પોલીસે પણ હાલ આ મામલે કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application