ગોંડલમાં ભાજપનાં ઉમેદવાર ડો.મનસુખભાઈ માંડવિયાનું સ્વાગત: બાઈક સવારો સાથે વિશાળ રેલી

  • March 11, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર ડો.મનસુખભાઇ માંડવીયા બપોરે વિરપુરથી ગોંડલ પંહોચ્યા ત્યારે જામવાડી ખાતે તેમનું ભવ્ય સન્માન કરાયું હતુ.જામવાડીથી યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ વિશાળ બાઇક રેલી ડો.માંડવીયા સાથે જોડાઇ હતી. જે રમાનાથધામ તથા રામજીમંદિર થઈ ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં નિવાસસ્થાને પંહોચી હતી. અહી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ ડો.માંડવીયાનું સ્વાગત કર્યું હતુ. આ વેળા ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડો.મનસુખભાઇ માંડવીયાએ કહ્યુ કે પોરબંદરથી ગોંડલ સુધી મેં કાર્યકર્તાઓનો ઉત્સાહ અને મોદી પ્રત્યે નો વિશ્ર્વાસ જોયોછે.વિજય નરેન્દ્ર મોદીનો છે.ભાજપનાં કાર્યકર્તા સમર્પણ ભાવથી લોકોની અપેક્ષાઓ પુર્ણ કરવા મહેનત કરેછે.આ ભાજપ ની ખુબી છે.ડો.મનસુખભાઇ માંડવીયાએ  કહ્યુ કે જયરાજસિંહ જાડેજા અને તેમનો પરીવાર જે રીતે લોકોની સેવા કરી રહ્યા છે તે તેમનાં સંસ્કાર છે. તેમણે સુચિત વિધાન કર્યુ કે ૧૯૯૫માં ગોંડલની પરિસ્થિતિ વિપરિત હતી. જનતામાં સુરક્ષાની માંગ હતી.તે સમયે કેશુભાઈ પટેલે જયરાજસિંહની પસંદગી કરી અહી મુક્યા.જયરાજસિહ જાડેજાએ લોકોની સેવા અને સુરક્ષા આજસુધી જાળવી રાખીછે. માફીયા તત્વોને માથું ઉચકતા બંધ કરાવ્યા છે.ડો.મનસુખભાઇ માંડવીયાએ અક્ષર મંદિરે દર્શન કરી બપોરનાં માર્કેટ યાર્ડ ખાતે પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે ગુફતગુ કરી હતી.ગોંડલમાં ડો.માંડવીયા સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા,લીંબડીનાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, આર.સી.ફળદુ, ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજા, જીલ્લ ા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા સહિત આગેવાનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application