પાક.માં ઘૂસીને આતંકીઓને મારીશું દેશની શાંતિમાં ખલેલ ચલાવીશું નહી

  • April 06, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો કોઈ આતંકવાદી દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું. જો તેઓ પાકિસ્તાનમાં છુપાયેલા હશે તો અમે પાકિસ્તાનમાં ઘૂસીને તેમને મારી નાખીશું દેશની સલામતી અને સુરક્ષામાં ખલેલ કોઈ પણ ભોગે ચલાવી નહી જ લેવાય તેમ જણાવી રક્ષા મંત્રી રાજનાથ સિંહે બ્રિટિશ અખબારના અહેવાલ પર ભારતની નીતિ સ્પષ્ટ્ર કરી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સરકાર બક્ષશે નહીં અને જો તેઓ પાકિસ્તાનમાં છુપાયેલા હોય તો પણ તેમને જવાબદાર ઠેરવશે.પાડોશી દેશનો કોઈપણ આતંકવાદી ભારતને હેરાન કરે છે અથવા હેરાન કરવાનો પ્રયાસ કરે છે અથવા અહીં આતંકવાદી કૃત્યો કરે છે, તો અમે તેને યોગ્ય જવાબ આપીશું. જો તે પાકિસ્તાન ભાગી જશે તો અમે પાકિસ્તાનમાં ઘૂસીને તેને મારી નાખીશું.
રાજનાથ સિંહ બ્રિટિશ અખબારના અહેવાલ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેમાં ભારતે પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ કરવાનો દાવો કર્યેા છે. રિપોર્ટમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ભારતે 'જેને તે તેના માટે દુશ્મન માને છે તેને નિશાન બનાવવાની નીતિ અમલમાં મૂકી છે અને ૨૦૧૯ના પુલવામા હત્પમલા બાદ ભારતીય ગુચર એજન્સી રો (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)એ આવા ઓછામાં ઓછા ૨૦ લોકોની ધરપકડ કરી છે.વિદેશ મંત્રાલયે ન્યુઝ એજન્સીનાં ના અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપોને 'ખોટા, અને ભારત વિરોધી પ્રચાર' ગણાવ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અનેક પ્રસંગો પર એમ પણ કહ્યું છે કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગ એ 'ભારત સરકારની નીતિ'નો ભાગ નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application