દરીયામાં માછીમારી કરવા ગયા બાદ પાક. કોસ્ટગાર્ડ દ્વારા બંદિવાન બનાવાયેલા અને ત્યાંની જેલમાં બંધ માંગરોળના બે માછીમારો માદરે વતન પરત આવતા બંદર ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ઢોલ, નગારા સાથે હારતોરા કરી તેઓનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અઢી, ત્રણ વર્ષ ઉંચક જીવે પસાર કર્યા બાદ વ્હાલસોયા ઘરે આવતા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારજનો આંસુઓ રોકી શક્યા ન હતા. તો મિત્રોની ખુશીનો પણ કોઈ પાર ન હતો. શનિવારે પંજાબ બોર્ડર પર પહોંચ્યા બાદ વડોદરા થઈ આજે બસ મારફતે બંને માછીમારો આવી પહોંચ્યા હતા. ભોલા ફિશિંગબોટમાં માછીમારી કરવા ગયેલા અનિકેત પરસોતમભાઈ થાપણીયા (ઉ.વ.૨૩) સહિત છ ખલાસીઓને તા. ૧૬/૧૨/૨૦૨૦ના રોજ પાક. કોસ્ટગાર્ડે તમામને બંદિવાન બનાવ્યા હતા. ત્યારબાદ તેઓને કરાંચીની જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ભારત સરકારના પ્રયત્નોથી અઢી વર્ષ બાદ તેઓનો છુટકારો થયો હતો. પરિવારમાં નાની બહેન, માતા-પિતા, નાના-નાની સાથે રહેતા અનિકેતે જણાવ્યું હતું કે ત્યાં જેલમાં દિવસની પાંચ રોટલી આપવામાં આવતી અને લંગરમાં ભોજન બનાવવા જઈએ તો ૧૫ દિવસના ૩૦૦, ૪૦૦ રૂ. મળતા. આ તકે પાક. જેલમાં બંધ અન્ય માછીમારોની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી પહેલાના ૨૦૨૦માં ત્યાંની જેલમાં ૮૧ માછીમારો બંધ છે જે પૈકી ૨૦ થી ૨૫ માછીમારો બિમાર છે. હું અમારી જેમ આ તમામના પરિવારોમાં ખુશી જોવા ઈચ્છું છું. તેમ જણાવી તેઓની મુકિત માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અનેક પ્રયાસો અને લાંબા સમય બાદ જુવાનજોધ પુત્ર ઘરે પરત આવતા અનિકેતના માતા વનિતાબેન ભાવુક બન્યા હતા અને હવે પુત્રને ફરી દરીયો ખેડવા નહીં જવા દેવાનું જણાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
અન્ય એક કિસ્સામાં પોરબંદરની સ્વાતિ સાગર બોટમાં માછીમારી કરતા પાંચ ખલાસીઓને પાક. કોસ્ટગાર્ડ ગત તા. ૧૫/૦૩/૨૦૨૧માં ઉઠાવી ગઈ હતી. જેમાં માંગરોળના દામાભાઈ ગોવિંદભાઈ મચ્છનો છુટકારો થતાં તેઓ આજે અહીં આવી પહોંચતા આંખોમાં હર્ષના આસું સાથે બહેને ઓવારણાં લીધાં હતાં. દામાભાઈના એક ભાઈનું અગાઉ દરીયામાં આકસ્મિક મોત થયું હતું. પરિવારમાં બીજું કોઈ કમાવાવાળું નથી ્. તેઓએ જણાવ્યું હતું કે દરીયો જ ખેડવો છે. એ જ અમારી રોજી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલીના બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા: મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ
September 20, 2024 02:26 PMયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech