બજેટ પર તેમની પ્રતિક્રિયા વ્યકત કરતા, કર્ણાટકના કોંગ્રેસના નેતા ડીકે સુરેશે જયારે ભંડોળ આપવાની વાત આવે છે, ત્યારે દક્ષિણ ભારતને હંમેશા અવગણવામાં આવે છે. આ આખરે તેમને દેશના દક્ષિણી ભાગ માટે અલગ દેશની માંગ કરવા માટે મજબૂર કરશે તેમ કહીને વિવાદ છેડો હતો. જોકે બાદમાં તેમણે સ્પષ્ટ્રતા કરીને થૂંકેલું ચાટવાનો પ્રયાસ કર્યેા હતો.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ડીકે સુરેશે કહ્યું, હતું કેન્દ્ર સરકાર ફડં ફાળવતી વખતે દક્ષિણ ભારતની અવગણના કરી રહી છે. તેઓ ઉત્તર ભારત, ખાસ કરીને હિન્દી હાર્ટલેન્ડને વધુ ભંડોળ ફાળવે છે. આ બદલાતું નથી અને જો આમ જ ચાલતું રહેશે તો તે આપણને હિન્દીના હાર્ટલેન્ડથી અલગ થવા અને અલગ દેશની માંગ કરવા માટે ઉશ્કેરશે. આપણે જે લાયક છીએ તે મેળવવું જોઈએ.
બાદમાં આ અંગે સ્પષ્ટ્રતા કરતા ડીકે સુરેશે કહ્યું કે તેઓ ગૌરવસભર ભારતીય અને કોંગ્રેસમેન તરીકે ભારતની એકતા અને અખંડિતતા સાથે ઉભા છે. તેમણે કહ્યું, એક ગૌરવપૂર્ણ ભારતીય અને એક ગૌરવપૂર્ણ કન્નડીગા છું. દક્ષિણ ભારત અને ખાસ કરીને કર્ણાટકને સંપત્તિ વિતરણમાં અન્યાયની નિર્દયતાનો સામનો કરવો પડો છે. જીએસટી ફાળો આપનાર બીજા ક્રમનું સૌથી મોટું રાય હોવા છતાં, કેન્દ્ર કર્ણાટક અને દક્ષિણના રાયો પર કર લાદી રહ્યું છે. ભારત સાથે સંપૂર્ણ અન્યાય છે, યારે ગુજરાત જેવા રાયોમાં ૫૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. જો આ અન્યાય નથી તો શું છે?
તે જ સમયે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ડીકે સુરેશ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી વિભાજનની રાજનીતિ કરી રહી છે. તેમણે કહ્યું, એક સમયે કોંગ્રેસ સરદાર પટેલ જેવા નેતાઓની પાર્ટી હતી, જેમણે ભારતને વૈવિધ્યસભર પરંતુ એકીકૃત રાષ્ટ્ર્રમાં પરિવર્તિત કરવાનું કામ કયુ હતું. આજની રાહત્પલ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ જેવા લોકો કરે છે, જેઓ ભ્રષ્ટ્રાચારના આરોપી છે, જે જામીન પર બહાર છે. તેમનો એજન્ડા ઉત્તર–દક્ષિણ સંઘર્ષ અને તુષ્ટ્રિકરણની રાજનીતિ દ્રારા લોકોને વિભાજીત કરવાનો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech